અમદાવાદમાં સફાઈ કામદારના મોત મામલે CCTV સામે આવ્યા છે. જયાં CCTVમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. કોર્પોરેશનના અધિકારીઓએ સેફટી વગર કામદારને ગટરમાં ઉતાર્યો હતો. કામદારને ગટરમાં ઉતારતા CCTVમાં દેખાય છે.
પોલીસે જવાબદારો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે AMCના તમામ અધિકારીઓએ મૌન સેવ્યું હતું. જોકે મૃતદેહને હાલ વી. એસ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વી.એસ હોસ્પિટલમાં હાજર હતા.
ઉલ્લેખનીય છે કે જમાલપુર વિસ્તારમાં સફાઈ કામદારનું ગટરમાં ગૂંગળાઈ જવાથી મોત થયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ ક્લિનીંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. તો આ મામલામાં પરિવારજનોએ હવે AMC પાસે આર્થિક સહાયની માગ કરી છે.
આપને જણાવી દઇએ કે સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે કોઇ પણ સફાઇ કર્મચારીને ગટરમાં સફાઇ માટે ઉતારવો ગુનો છે. આમ છતાં AMC કર્મચારીઓના કહેવાથી સફાઇ કામદારને ગટરમાં ઉતાર્યો હતો જ્યાં તેનું ગુંગળામણથી મોત થયું હતું.
આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો વેતન અને નોકરી સામે નોકરી આપવાની માંગણી સાથે કોર્પોરેશન પહોંચ્યા ત્યાં AMC કમિશનરે તેમની વાત સાંભળવાનું ના પાડી દીધુ હતું. આ મુદ્દે સફાઇ કર્મચારીઓએ પણ ચીમકી આપી છે કે જ્યાં સુધી જવાબદાર કોટ્રાકટર અને અધિકારી વિરુધ્ધ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહનો અતિંમ સંસ્કાર નહીં કરીશું.