એક તરફ કોરોનાએ અમદાવાદને બાનમાં લીધું છે તો આજરોજ આશ્રમ રોડ પર આવેલ સાકાર-7 ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
અમદાવાદમાં આજે વધુ એક જગ્યાએ લાગી આગ
નેહરુબ્રિજ સાકાર 7 માં લાગી આગ
ઇલેક્ટ્રિક વાયરીંગમાં આગ લાગી હોવાનું અનુમાન
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે નહેરું બ્રિજ નજીક આવેલ સાકાર-7 નામની ઇમારતમાં બપોરે 3 વાગ્યાની આસપાસના તબક્કામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે, આગને પગલે કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી.
એક વ્યક્તિનું મોત
આગથી બચવા એક વ્યક્તિએ ઇમારત પરથી પડતું મુકતા તેનું મોત થયું હતું. જો કે ફાયર બ્રિગેડ દ્વારા હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને 40 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
આજે અમદાવાદમાં આગની 2 ઘટના
અમદાવાદમાં આગજનીના બે બનાવો બન્યા હતા. જેમાં અમદાવાદના શિવરંજની પાસે અક્ષત ટાવરમાં આગની ઘટના બની હતી. આઇટી ઓફિસના સર્વરમાં આગ લાગી હતી. આગ લાગતા જ 2 ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની થઇ ન હોતી.