ખેડૂત આંદોલનના માર્ગે સફાઈ ક્રમીઓ પણ આંદોલન કરવાના મૂડમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મીઓની હડતાળ લાંબી ચાલવાના સંકેત જોવા મળી રહ્યા છે. 3 દિવસથી સફાઈકર્મીઓ હડતાળ પર છે.
AMC સફાઈ કર્મચારીઓની હડતાળ યથાવત
3 દિવસથી હડતાળ પર છે સફાઇ કર્મચારીઓ
AMCના સફાઇકર્મીઓ પણ ખેડૂત આંદોલનને માર્ગે
2500 લોકો માટેના રસોડાની તૈયારી
બોડકદેવની ઓફિસ આગળ સફાઈકર્મીઓએ ધામા નાંખ્યા છે. એટલું જ નહીં પણ ધરણા પર બેઠેલા લોકોની જમવાની વ્યવસ્થાના ભાગ રૂપે ધરણાના સ્થળે જ રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે.મહિલાઓ દ્વારા રસોડું શરૂ કરવામાં આવ્યું છે. 2500 લોકો માટેના રસોડાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રસોડાની તૈયારીઓ ને જોતા લડત લાંબી ચાલવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.
ઝેરી દવા ગટગટાવતાં ચકચાર
અમદાવાદમાં થલતેજ વોર્ડના સફાઈ કર્મીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેરી દવા ગટગટાવતાં ચકચાર મચી જવા પામી હતી. સફાઈકર્મીઓના પ્રશ્નોને લઈને રજુઆત કરવા જતાં ઉપરી અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા આ પગલુ ભર્યાની પ્રાથમિક માહિતી મળી હતી. થલતેજ વોર્ડના આ સફાઈ કર્મીને 108 મારફતે સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જેથી આજે સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
17000 સફાઈકર્મી હડતાળ પર
17000 સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા છે. તેમજ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરાતા સફાઈ કર્મીઓ વધુ આક્રમક બન્યા છે. પીઆઇ આર.એમ.સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી છે. જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો