અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી જેલ અને વિવાદ એકબીજાના પૂરક જોવા મળી રહ્યાં છે. શહેરમાં આવેલી સાબરમતી જેલ વારંવાર કોઇ વિવાદ સંપડાતી જોવા મળતી હોય છે. સાબરમતી જેલ વારંવાર વિવાદો વચ્ચે જોવા મળતી હોય છે. જેલમાંથી થોડા દિવસોના અંતરે મોબાઇલ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. હાલમાં સાબરમતી જેલમાંથી કેદીઓએ લીધેલ સેલ્ફીને લઇને વિવાદ જોવા મળ્યો છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વારંવાર વિવાદમાં સપડાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં હવે કેદીઓએ સેલ્ફી લીધી છે. કેદીઓની સેલ્ફી જોઈને એમ લાગી રહ્યું છે કે જેલમાં કેદીઓ મોજ કરી રહ્યા છે.
જેમાં જેલમાંથી 3 કેદીએ મોબાઈલમાં સેલ્ફી લીધી હોવાનું સામે આવ્યું છે. જો કે હવે આ ફોટો વાયરલ થયો છે. 26 મેએ આ કેદીમાંથી એક જામીન પર બહાર આવ્યો હતો. અને વાયરલ થયેલો આ ફોટો 10 દિવસ પહેલા લેવાયો હોવાની ચર્ચા છે. જોકે હવે જેલ તંત્ર સ્વ બચાવમાં ઉતરી પડ્યું છે.
તંત્ર દ્વારામાં કહેવામાં આવ્યું છે કે વાયરલ થયેલો ફોટો નવેમ્બર મહિનામાં લેવામાં આવેલો છે. સાબરમતી જેલને વિવાદો સાથે જૂનો સંબંધ છે. જેલમાં કેદી પર હુમલો હોય કે કેદી ફરાર થઈ જવા અને મોબાઈલની બેટરી મળવીએ જૂની વાત થઈ ગઈ છે. પણ હવે જેલમાં કેદીઓ સેલ્ફી લઈ રહ્યા છે.
જેલ તંત્રએ દાવો કર્યો કે આ ફોટો નવેમ્બર મહિનામાં લેવામાં આવ્યો છે. અરે ફોટો ગમે ત્યારે લેવાયો હોય પણ લેવાયો તો જેલમાં જ છે એટલે કે જેલ તંત્રની બેદરકારી તો છે જ. તો જેલ તંત્ર શા માટે પોતાની જવાબદારીથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સળગતા સવાલ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોણ છે બેદરકાર?
સેન્ટ્રલ જેલમાં ક્યાંથી આવ્યો મોબાઈલ?
કેદીઓએ સેલ્ફી લીધી તો કેમ કોઈના ધ્યાને ન આવ્યું?
શું જેલના કોઈ કર્મચારી કેદી સાથે મળેલા છે?
વારંવાર સાબરમતી જેલ જ કેમ આવે છે વિવાદમાં?
કેદીઓનો ફોટો વાયરલ થયા બાદ જેલ તંત્ર કેમ છટકી રહ્યું છે?
સાબરમતી જેલ તંત્ર કહે છે કે ફોટો નવેમ્બર મહિનાનો છે
ફોટો ગમે ત્યારનો હોય ખેંચાયો તો જેલમાં જ છે તેનો સ્વીકાર કેમ નથી કરાતો?