અમદાવાદમાં કોરોના બેકાબૂ બની છે. અમદાવાદમાં જેલના અધિકારીઓ અને કેદીઓ પણ કોરોનાનો શિકા બન્યા છે. 16 કર્મચારી અને 54 કેદીઓ કોરોનાગ્રસ્ત થતા હાહાકાર મચી ગયો છે.
સિરિયલ બ્લાસ્ટના 1 સહિત 54 કેદીઓ કોરોના સંક્રમિત
16 જેલના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં
સુપ્રિટેન્ડેન્ટ-PRO તરીકે કાર્યરત DySP ડી.વી.રાણાને કોરોના
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોના કેસ વધી રહ્યાં છે. અહીં સેન્ટ્રલ જેલના અધિકારી DySP ડી.વી.રાણાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેલના 16 કર્મચારી કોરોના પોઝિટિવ છે. આ સિવાય સિરિયલ બ્લાસ્ટના આરોપી સહિત 54 કેદીઓને કોરોના સંક્રમિત છે.
ગુજરાતમાં કોરોના કેસોનો આંક સતત વધી રહ્યો છે. જો કે, આ વચ્ચે સારી વાત એ છે કે, રાજ્યમાં દર્દીઓ સાજા થવાના અને મોતનાં કેસોમાં ઘટાડો થયો છે. એક દિવસમાં કોરોનાના 577 નવા પોઝિટવ કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ અમદાવાદમાં 238 અને સુરતમાં 134 નવા કેસ નોંધાયા છે.
એક દિવસમાં 18 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાં માત્ર અમદાવાદમાં 12 અને સુરતમાં 3 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 410 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.આમ રાજ્યામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 29078 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1 હજાર 754 પર પહોંચ્યો છે..હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6,318 છે, જેમાં 66 દર્દીઓ વેન્ટિલેટર પર અને 6 હજાર 252 દર્દીઓની હાલત સ્થિર છે.