શિક્ષણનું પ્રમાણ કથળી રહ્યું છે ત્યારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 40 ટકા કરતા ઓછુ પરિણામ લાવતી સ્કૂલો માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આ એક્શન પ્લાન મુજબ વર્ષ દરમિયાન ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોનું સ્પેશનલ મોનેટરીંગ કરીને 40 ટકાથી વધુ પરિણામ સ્કૂલો લાવે તેવો પ્રયાસ કરાશે. મહત્વનું છે કે અમદાવાદ ગ્રામ્યમાં અત્યારે 80 જેટલી સ્કૂલો એવી છે જેનું ધોરણ 10નું પરિણામ 40 ટકા કરતા નીચે આવે છે.
સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી સ્કૂલોનું પરિણામ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. ત્યારે અમદાવાદના ગ્રામ્યના શિક્ષણાધિકારીએ સ્કૂલો અને વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ કરી છે. આ પહેલમાં ડીઈઓએ દ્વારા ઓછા પરિણામ વાળી સ્કૂલોની એક યાદી તૈયાર કરાવામાં આવી છે. આ તૈયાર કરાયેલી યાદીવાળી શાળાઓમાં દર પંદર દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
સાથે સાથે એજ્યુકેશન ઈન્સ્પેક્ટની પણ એક ટીમ તૈયાર કરાઈ છે જે અલગ-અલગ સ્કૂલમાં જઈ કેટલો અભ્યાસક્રમ ચાલ્યો, કેવી રીતે શિક્ષાકો ભણાવે છે તે તમામ વસ્તુનું નિરિક્ષણ કરશે અને એક રિપોર્ટ તૈયાર કરાશે.
સ્કૂલોનું પિરિણામ કેમ ઓછુ આવે છે તેના પર ડીઈઓ દરેક પ્રિન્સિપાલને ડીઈઓ કચેરી બોલાવશે. દરેક પ્રિન્સિપાલ સાથે બેલીને વન ટુ વન ચર્ચા કરશે. આ વખતે અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં ચાલતી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોનું પરિણામ ધોરણ 10માં સારુ આવે તેના માટે અત્યારેથી જ ડીઈઓ દ્વારા પ્રયાસો શરુ કરી દેવાયા છે. આચાર્યો તેમજ શિક્ષકોને પણ સુચના આપી દેવામાં આવી છે.