અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દુષ્કર્મના કેસમાં પીડિતાને ન્યાય આપ્યો છે. આ કેસ 2011માં ચાંગોદરમાં બન્યો હતો એક પીડિતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે મહત્વની વાત એ છે કે, કેસને લગતા સાક્ષીઓ ફરી ગયા હતા. પરંતુ કોર્ટે પોતાનો ચુકાદો પીડિતાની તરફેણમાં જ આપ્યો હતો.
કોર્ટે પોતાનો ચુકાદો પીડિતાની તરફેણમાં જ આપ્યો
કોર્ટે દોષીતોને 7 વર્ષની સજા ફટકારી
20 સાક્ષીઓ ફરી ગયા હતા
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ આ કેસમાં માત્ર પીડિતાની જૂબાનીને જ માન્ય રાખી છે. અન્યાય તમામ લોકોની જૂબાનીને નજર અંદાજ કરી છે. 20 સાક્ષીઓ ફરી ગયા હોવા છતા કોર્ટે પીડિતાને ન્યાય આપીને અનેક પીડિતાઓની હિંમત વધારી છે.
હાલ આ કેસમાં દોષીતોને 7 વર્ષની સજા ફટકારી છે. હાલ રાજ્યમાં અને દેશમાં વધતા દુષ્કર્મના બનાવોને લઈને કોર્ટે ચિંતા વ્યકત કરી છે. કોર્ટે કહ્યું કે, દુષ્કર્મના આરોપીઓને બક્ષવા ન જોઈએ. સાક્ષીઓ હોસ્ટાઈલ થઇ જતા આરોપીઓને પ્રોત્સાહન મળે છે. કોર્ટએ પીડિતાની જ જૂબાનીને ગ્રાહ્ય રાખી છે. આરોપીને ફટકારી 7 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2011માં ચાંગોદરમાં દુષ્કર્મની ઘટના બની હતી.