અમદાવાદ શહેરમાં RSS દ્વારા પથસંચલનનું આયોજન કરાયું છે.શહેરના ત્રણ રૂટ પર પથસંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં RSSના 5 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા.મહત્વનું છે કે નવો ગણવેશ આવ્યા બાદ પ્રથમ વખત વિશાળ પથસંચલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હિંદૂત્વવાદી વિચારધારા ધરાવતા સંગઠન દ્વારા આજે અમદાવાદ ખાતે પથસંચલન યોજાયું હતું RSS દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં વર્ષપ્રતિપદા ઉત્સવ સ્નેહમિલન દશેરા અને જેવા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
આપને જણાવી દઇએ અમદાવાદના 3 રૂટ પર પથસંચલનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા.જેમણે પૂર્ણ ગણવેશમાં શહેરના રાજમાર્ગો પર પથસંચલન કરેલ.