સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં રોડ રસ્તા પણ સ્માર્ટ છે પ્રશાસનનાં આ દાવા વચ્ચે અમદાવાદ શહેરના રોડ રસ્તા માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવી દેવાય છે. પરંતુ આ દાવાઓ વચ્ચે શહેરીજનોને સારા રસ્તાની ભેટ મળે છે ખરા? હાઇકોર્ટના આદેશ બાદ રોડ બાબતે મનપા કમિશનરે અધિકારીઓને લાલ આંખ બતાવી છે. અને રસ્તા બાબતે અધિકારીઓની ઢીલી નીતિથી નારાજગી વ્યક્ત કરી છે.
શહેરમાં એક કિલોમીટર પણ રોડ સારો નથી- કમિશનર
અમદાવાદ મનપા કમિશનર લોચન સહેરાએ આજે રોડ રસ્તા મુદ્દે મળેલી રિવ્યુ બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો છે. અને ફટકાર આપતા કહ્યું છે કે એસી કેબીનમાં બેસીના શહેરના કામ ન થાય, શહેરમાં એક કિલોમીટર પણ રોડ સારો નથી તેથી તમામ રોડની સમીક્ષા કરવામાં આવે સાથે જ એવું પણ જણાવ્યું હતું કે અમદાવાદમાં ફૂટપાથની પણ હાલત સારી નથી.
હાઇકોર્ટના આદેશ બાદ રોડ બાબતે મનપા કમિશનર સક્રિય થયા
તાજેતરમાં હાઇકોર્ટમાં ઝડપી અને મજબુત રોડ બની રહ્યા હોવાના દાવા ગુજરાત હાઇકોર્ટમાં કોર્પોરેશન દ્વારા કરાયા છે સારા રસ્તાઓની અને ઝડપી સુવિધાઓ લોકોને મળી રહે તે કામગીરી પણ કરવામાં આવી રહી છે અને આ જ કામગીરીનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે પરંતુ તંત્રના આ દાવાઓ વચ્ચે હકીકત કઈક અલગ જ છે મહત્વનું છે કે વર્ષ 2021-22માં રસ્તા રિસરફેસ માટે 247 કરોડ ખર્ચાયા હોવાનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે પણ તેની સામે સુવિધા માત્ર ના બરોબર છે.
રોડ ખોદાવવામાં એક્સપર્ટ છે અમદાવાદ મનપાના અધિકારી
અમદાવાદા કહેવા પુરતી સ્માર્ટ સીટી છે બાકી તો અમદાવાદમાં જ્યાં નજર કરીએ ત્યાં રોડ રસ્તાઓ ખોદેલી હાલતમાં જોવા મળે છે અને એક રસ્તો ખોદવામાં આવે તો મહિનાઓ સુધી ત્યાં કામ કરીને સરખુ કરાતો નથી જેથી પ્રજાને સતત હાલાકી ભોગવવી પડે છે... અમદાવાદમાં પહેલા રસ્તા બને છે પછી કોર્પોરેશનને યાદ આવે છે કે ગટર લાઈન બાકી રહી ગઈ માટે નવો બનેલો રોડ તોડવામાં આવે છે અને ફરી ત્યાં રસ્તો બને ત્યાં સુધી પ્રજાએ અન્ય રસ્તાથી પસાર થવા માટે હાલાકી ભોગવવી પડે છે.
ટેક્સ તોતિંગ પણ સુવિધામાં મીંડુ
ઘણી જૂની કહેવત છે કે "આમ કે આમ ઓર ગુઠ્લીઓ કે ભી દામ" રોડની હાલત પરથી જોવા મળી રહ્યું છે. પ્રથમ રોડ બનાવતી વખતે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને હવે તેના સમારકામ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવશે. પ્રજાના પૈસે તાગડધિન્ના કરતાં અધિકારીઓ અને નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે ખરાબ રોડની હાલત પરથી સ્પષ્ટ થઈ ગયું છે.
મંથરગતિથી કામગીરી પણ જવાબદાર
અમદાવાદ શહેરના સ્માર્ટ રસ્તાઓ અને તૂટેલા રસ્તાઓ ની ઝડપી કામગીરી ના દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ તંત્રના દાવાઓમાં કેટલો છે દમ તેના જ બોલતા પુરાવા રસ્તાઓ આપી દેશે મંથરગતિ કામગીરીના કારણે જનતાએ વારંવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે મન ફાવે ત્યારે ખોદકામ કરી દેવું અને ધીમી ગતિના કામને કારણે મુશ્કેલી વધારવી તે જ સૂત્ર સાથે તંત્ર કામ કરતું હોય તેમ જનતામાં ઊભરી રહ્યો છે
આશા રાખીએ છે કે કમિશનર લોચન શહેરાએ લીધેલા ઉધડા બાદ એસી ઓફિસમાં બેસેલા સત્તાધીશોને ખ્યાલ આવે અને ઝડપી રસ્તાઓ પર કામ કરે, નહિતર