અમદાવાદની પ્રસિદ્ધિમાં આજે વધુ એક યશ કલગી ઉમેરાશે. સાબરમતી રિવરફ્રન્ટ પર 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલ આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું આજે PM મોદીના હસ્તે લોકાર્પણ.
અમદાવાદની પ્રસિદ્ધિમાં આજે ઉમેરાશે વધુ એક યશ કલગી
રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલ આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ
બ્રિજ એન્જિનિયરિંગના દ્રષ્ટિકોણથી એક અજાયબી
PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદીઓને અને કચ્છવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં અમદાવાદ ખાતે આજે પીએમ મોદીના હસ્તે રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે કે જેની સૌ કોઇ રાહ જોઇ રહ્યાં હતા.
PM મોદીએ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા ફૂટ ઓવરબ્રિજનાં PHOTOS
ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં જ્યારે વિકાસ બમણી ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે અમદાવાદની ઓળખમાં આજે એક નવું પીંછુ ઉમેરાઇ રહ્યું છે અને તે છે આઇકોનિક ફૂટ ઑવર બ્રિજ. આ બ્રિજ એટલો આકર્ષિત છે કે તમે જાણે વિદેશમાં હોવ તેવી અનુભૂતી થશે. રાત્રિનો જગમાગાટ અને રંગીલા શહેરમાં ફરવા જવાનું સપનું હોય અને સિંગાપુરના અવનવા બ્રીજો તમને આકર્ષી રહ્યાં હોય તો હવે લાખો રૂપિયા ખર્ચીને સિંગાપુર જવાની જરૂર નથી. કારણ કે, આપણા અમદાવાદમાં સાબરમતી નદી પર પણ આવો જ આકર્ષક અને રંગબેરંગી ફૂટ ઓવરબ્રીજ તૈયાર થઈ ચૂક્યો છે. આ બ્રિજ પર અમદાવાદ સહિત ગુજરાત અને વિશ્વમાંથી આવતા પર્યટકો ફરવાની મજા માણી શકશે.
300 મીટરનો આ પુલ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે
એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂપિયા 75 કરોડના ખર્ચે આ બ્રિજ બાંધવામાં આવ્યો છે. આ બ્રિજને દૂરથી જોતા જ તેને નજીકથી જોવાનું મન થઈ જશે અને નજીક પહોંચતા જ ત્યાંથી દૂર જવાનું મન નહીં થાય. કારણ કે, બ્રિજનું સ્ટ્રક્ટર જ એવી રીતે તૈયાર કરાયું છે કે, લોકોને ગમે ત્યાંથી ખેંચી લાવે. 300 મીટરનો આ પુલ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે. આ પુલ પૂર્વ અને પશ્ચિમ કાંઠે મલ્ટીલેવલ કાર પાર્કિંગ અને વિકાસને એક નવી દિશા આપશે. કલા અને સંસ્કૃતિની પણ અહીં ઝલક જોવા મળશે. આ બ્રિજની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. ત્યારે હવે અહીં જોઇશું કે આખરે શું છે આ બ્રિજની ખાસિયત કે જેને સૌ કોઇ નિહાળવા માટેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.
Our prized possession, the Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge. The modern marvel would be E-Inaugurated, tomorrow 27th August, Saturday by H'ble PM Shri @narendramodi Ji. pic.twitter.com/F9BllFNiR0
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) August 26, 2022
જાણો શું છે આ અટલ ફૂટ ઓવરબ્રિજની ખાસિયતો
સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાયો
પદયાત્રીઓ અને સાયકલ સવારો પૂર્વ અને પશ્ચિમ કિનારે સરળતાથી અવરજવર કરી શકશે
અમદાવાદના લોકો ટ્રાફિક વિના શાંતિથી રિવરફ્રન્ટની મજા માણી શકશે
બ્રિજની કુલ લંબાઈ 300 મીટર અને બ્રિજનું વજન 2600 મેટ્રીક સ્ટીલ જેટલું