ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને લઇને રાજ્યમાં લોકડાઉન બાદ જાહેર કરવામાં આવતા અનલોકમાં આંશિક રાહતો આપવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ શહેરમાં અંદાજે છેલ્લા છ મહિનાથી બંધ સાબરમતી નદી કિનારે આવેલ રિવરફ્રંટમાં નીચે જવાની આજથી મંજૂરી આપવામાં આવી છે. જો કે આજથી આપવામાં આવેલી છૂટછાટમાં રિવરફ્રંટ વોક-વે પર વોકિંગ કરી રહેલ દંપત્તિને લૂંટી લેવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં 6 મહિના બાદ ખુલ્લું મૂકાયુ રિવરફ્રંટ
રિવરફ્રંટમાં નીચે જવા માટે આજથી મંજૂરી
રિવરફ્રન્ટ પર વોકવે પર ફરવા આવેલા કપલને લૂંટી લેવાયું
અમદાવાદ 6 મહિના બાદ રિવરફ્રન્ટ ખુલ્યું મુકાયું
કોરોના વાયરસની મહામારીના પ્રકોપને ધ્યાનમાં લઇને અંદાજે 6 મહિના બાદ તંત્ર દ્વારા લોકો માટે રિવરફ્રન્ટ આજથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં રિવરફ્રંટમાં નીચે જવા માટે આજથી મંજૂરી આપવામાં આવી છે.
કોરોના વાયરસની મહામરી વચ્ચે લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલા શહેરના રિવરફ્રંટ પર નીચે જવાની મંજૂરી આપવામાં આવતા સવારમાં લોકો સાઇકલિંગ અને વોકિંગ કરતા દેખાયા છે.
રિવરફ્રન્ટ પર વોકવે પર ફરવા આવેલા કપલને લૂંટી લેવાયું
અમદાવાદમાં છ મહિના બાદ શરૂ કરવામાં આવેલ રિવરફ્રંટ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આજથી શરૂ થયેલા રિવરફ્રંટ વોક-વે પર ફરવા નિકળ્યું હતું. રિવરફ્રન્ટ પર વોક વે પર ફરવા આવેલા કપલને લૂંટી લેવાયું હોવાની વિગત સામે આવ્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મોબાઇલ, પર્સ સહિતની લૂંટ કરીને શખ્સો ફરાર થયા હોવાની વિગતો સામે આવી છે. જો કે આ અંગે રિવરફ્રંટ વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.