અમદાવાદ / નદીમાં કચરો ન પધરાવવા પડે તે માટેનો કળશ જ પધરાઇ ગયા, 6 કર્મીઓ દોષિત

ahmedabad river clean religious puja vidhi

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે નદીમાં ઠલવાતી પૂજા સામગ્રી કળશમાં એકત્રિત થાય તેવા હેતુસર નદી પરના છ બ્રિજ પર લાખો રૂપિયાના ખર્ચે કળશનો કોન્ટ્રાકટ અપાયો છે. જોકે તંત્રમાં છાશવારે થતા કૌભાંડની જેમ કળશના કોન્ટ્રાકટમાં પણ ભારે ગેરરીતિ આચરાઇ હોવાનું મ્યુનિ. વિજિલન્સ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. વિજિલન્સ તપાસમાં છ મ્યુનિસિપલ કર્મચારી કસૂરવાર ઠર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ