પાંજરાપોળ ચાર રસ્તા પર બે સગા ભાઇ બીઆરટીએસ બસની નીચે કચડાયા બાદ છેક રાજ્ય સરકાર સુધી આ દુર્ઘટનાના ગંભીર પડઘા પડ્યા હતા. બીઆરટીએસ કોરિડોર પરના અકસ્માતો રોકવા તંત્ર દ્વારા એએમટીએસ બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, જોકે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ એએમટીએસ બસ પર મૂકેલો પ્રતિબંધ ભારે વિવાદાસ્પદ બન્યો છે. હવે બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થતાં ઇમર્જન્સી વાહનો માટે આરએફઆઇડી ટેગ લગાવવા ફરિજયાત કરાયા છે.
BRTS કોરિડોરમાંથી પસાર થતાં ઇમર્જન્સી વાહનો માટે પણ નિયમ
RFID ટેગ ફરજિયાત લગાવવું પડશે
ઉસ્માનપુરા ખાતેની ઓફિસ પરથી ભરવું પડશે ફોર્મ
બીઆરટીએસ કોરિડોરમાંથી હાલમાં ગુજરાત એસ.ટી. બસ, ફાયર વિભાગનાં વાહન, પોલીસ વિભાગનાં વાહન તેમજ એમ્બ્યુલન્સને પસાર થવાની છૂટ અપાઇ છે. એસટી બસ સિવાયનાં ફાયર, એમ્બ્યુલન્સનાં વાહન, ઇમર્જન્સી વાહન ગણાતાં હોઇ આ વાહનોનો બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશ ચાલુ રખાયો છે.
ઇમર્જન્સી વાહનોએ ફરિજયાતપણે RFID ટેગ લગાવવા ફરજીયાત
જોકે તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થતા રોકવા ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવાની કામગીરી ચાલી રહી હોઇ એસ.ટી બસ તેમજ ઇમર્જન્સી વાહનોએ ફરિજયાતપણે આરએફઆઇડી ટેગ લગાવવાના રહેશે.
ઉસ્માનપુરા ખાતેની ઓફિસ પરથી ભરવું પડશે ફોર્મ
જાણકાર સૂત્રો કહે છે, ઇમર્જન્સી વાહનોને ટેગ પૂરા પાડવા માટે જે તે બસ સ્ટેશનના ગેટ પર ખાસ કર્મચારી હાજર રહેશે એટલે ઇમર્જન્સી વાહન તો બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થઇ શકશે, જોકે એસટી બસને કોરિડોરમાંથી પસાર કરાવવા ઉસ્માનપુરા ખાતેના ડો.રમણભાઇ પટેલ ભવનની BRTS ઓફિસમાં જરૂરી પુરાવા સાથે નિયત ફોર્મ ભરી RFID ટેગ મેળવવાના રહેશે.
અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી વાહનચાલકની
જોકે સત્તાવાળાઓએ ટેગ મેળવવા માટેની કોઇ અંતિમ તારીખ નક્કી કરી નથી, પરંતુ ટેગ મેળવ્યા વગર પસાર થતાં વાહનોથી કોઇ અનિચ્છનીય ઘટના બને તો તેની પૂર્ણ જવાબદારી જે તે વાહનચાલકની રહેશે. દરમ્યાન BRTSના સત્તાવાળાઓએ આસ્ટોડિયા રોડ પરના બીઆરટીએસ કોરિડોર પર તિલકબાગ સહિત બે બસ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવાની દિશામાં હિલચાલ આરંભી છે.