બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં એકાએક પિત્ઝા ખાવાના ક્રેઝમાં ઘટાડો, જાણીતા 100 જેટલાં આઉટલેટ્સ બંધ, જાણો કેમ
Last Updated: 10:55 AM, 28 April 2025
અમદાવાદ શહેરમાં એક સમય હતો કે પીત્ઝા ખાવા લોકો લાઇનમાં ઉભા રહેતા હતા અને જો કોઇ નજીકનુ વ્યક્તિ પિત્ઝા ખાઇને આવે તો લોકો તેને તે બહુ મોટી પાર્ટી એન્જોય કરીને આવ્યો હોય તે રીતે જોતા પરંતુ હવે અમદાવાદમાં પીત્ઝાનુ ભુત લોકો પરથી ઉતરી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે, રોજબરોજ એટલી બઘી નવી-નવી ખાવાની વાનગીઓ આવી રહી છે કે પીત્ઝા પ્રત્યે લોકોને પ્રેમ ઘટ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં જાણીતા 100 થી વઘુ પીત્ઝાના આઉટલેટ્સ અને 250 વધુ નાની દુકાનો બંઘ થઇ છે.
ADVERTISEMENT
રીપોર્ટ અનુસાર અમદાવાદ શહેરમાં પીત્ઝાના મોટા-મોટા આઉટલેટ્સ અને રેસ્ટોરન્સ બંઘ થઇ ગઇ છે જેમાં મુખ્ય કારણની વાત કરવામાં આવે તો હરીફાઇનો જમાનો છે ઉપરાંત ગ્રાહકો હવે સારી ક્વોલિટીનુ ફુડની માંગ કરી રહ્યા છે પરંતુ જે રીતે પીત્ઝા બનાવવા માટે જે ઇન્ગ્રીડીયન્ટનો ઉપયોગ થાય છે, કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાતેતે કાચા માલની પડતકર કિંમતમાં 25-30 ટકાનો વઘારો થયો છે, સાથે જ મોંઘવારી જે રીતે વધી રહી થે તેમાં સ્ટાફનો પગાર પણ વધી રહ્યો હોવાના કારણોથી પણ શહેરમાં હોટેલ બિઝનેસને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે જેથી નુકસાનીથી બચવા માટે વેપાર જ બંધ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.
જ્યારે બીજી તરફ નજર નાખીએ તો ગ્રાહકોના ટેસ્ટમાં પણ બદલાવ આવ્યો છે પીત્ઝાની સામે હવે લોકો સિઝલર અને મુળ ગુજરાતી વાનગીઓ જેવી કે આલુ પરાઠા તરફ વળ્યા છે સાથે જ ગુજરાતી ભાખરી પીત્ઝા લોકોને વઘુ ટેસ્ટ આપી રહ્યા છે, જ્યારે પીત્ઝા આઉટલેટમાં શરૂ કરવામાં આવેલ અનલિમિટેડના કન્સેપ્ટથી નવા પ્લેયર તો આવી રહ્યા છે પરંતુ વધુ ટાઇમ બજારમાં ટકી શક્તા નથી કારણ કે સારી ક્વોલિટીનું ફુડ ન હોવાથી હવે ગ્રાહકો ફરીયાદ નહી પરંતુ સ્વિચઓવરનો કન્સેપ્ટ અપનાવે છે. જ્યારે ઓનલાઇન ફુડ ડિલિવરીના કારણે હોટેલમાં વોક ઇન પણ ઓછુ થયુ છે જેથી હોટેલનો ખર્ચ, જગ્યાનુ ભાડુ અને જીએસટી જેવા વધારા ખર્ચના કારણોથી પણ હોટેલો બંઘ થઇ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આગામી 7 દિવસ ગુજરાત બનશે અગનગોળો, તો આ તારીખોમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા
આમ જે પ્રીમિયમ રેસ્ટોરન્ટની હરીફાઇ સાથે ટેક્સનો ભાર, કાચા માલના ભાવમાં 30 ટકાનો વધારો અને એક જ સ્વાદથી કંટાળેલા ગ્રાહકો.. વગેરે કારણો પીત્ઝા રેસ્ટોરન્ટ બંઘ થવાનુ મુળ કારણ છે. આમ સમયથી સાથે ટેક્સમાં વઘારો અને ગ્રાહકોના ટેસ્ટમાં બદલાવ આવવાથી સીધી અસર રેસ્ટોરન્ટ પર જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.