રેમડેસિવિર ઈન્જેક્શનની અછત મામલે સરકારના વકીલ કમલ ત્રિવેદીનું મોટું નિવેદન, AG કમલ ત્રિવેદીએ કહ્યું, રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી
રેમડેસિવિર ઇન્જેક્શનની અછતનો મામલો
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું મોટું નિવેદન
રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી
ગુજરાત હાઈકોર્ટેમાં આજે ફરી સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અનેક મામલે સરકાર પાસેથી જવાબ લીધા હતા. તો રેમડેસિવિર ઈન્જેક્શનની અછત મામલે સરકારના વકીલ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. AG કમલ ત્રિવેદીએ કહ્યું, રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી. ફૂડ અને ડ્રગ્સ વિભાગનો પણ તેના પર કંટ્રોલ નથી.
આ સાથે કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, નાના બાળકો, ગરીબ વર્ગો માટે સરકારે કોવિડ સેન્ટરો બનાવ્યા છે. અને હોસ્પિટલ બહાર જે રીતે એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી રહીને રાહ જુએ છે. તે મામલે SOP બહાર પડાશે. અને દર્દીને કઈ હોસ્પિટલમાં દાખલ કરવાના છે તેની સ્પષ્ટતા પહેલા કરાશે. તેવી વાત પણ સરકારના વકીલ કમલ ત્રિવેદીએ કરી હતી.
કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી જુઓ
કોરોના પર સુઓમોટોની જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગતરોજ હાઇકોર્ટમાં સરકારે સોગંદનામુ રજૂ કર્યુ હતુ. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં પક્ષકાર તરીકે જોડવા હાઈકોર્ટ એડવોકેટ એસો.ની રજૂઆત કરી હતી.
એડવોકેટ જનરલે કહ્યું મીડિયા રિપોર્ટમાં વધુ પડતી વરવી સ્થિતિ બતાવે છે. એડવોકેટ જનરલની વાત સાથે ચીફ જસ્ટીસે અસહમતી દર્શાવી હતી અને કહ્યુ હતુ કે,મીડિયાના રિપોર્ટને સદંતર અવગણી ન શકીએ. જે સ્થિતિ છે તે જ મીડિયામાં બતાવાઈ રહી છે.
રેમડેસિવિર પર હાઈકોર્ટે કહ્યું ક્યાંથી મળશે ઈન્જેક્શન સહિતની વિગતો જણાવો
જેના જવાબમાં AGએ કહ્યુ હતુ કે, રેમડેસિવિર ત્યારે જ અપાય છે જયારે વ્યકિતને ચાર થી પાંચ દિવસ સતત તાવ હોય. ઓક્સિજનનું સ્તર પણ ઉંચું-નીચું રહેતું હોય્ ત્યારે તબીબી દેખરેખ નીચે રેમડેસિવિર અપાય છે. રેમડેસવિર માત્ર હોસ્પિટલના ઉપયોગ માટે જ છે. રેમડેસિવિર પેરાસિટામોલની જેમ આપી નથી શકાતા. હોમકેરના પેકેજમાં રેમડેસિવિર આપવામાં આવ્યા છે