અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી દાયકાઑથી દર વર્ષે ધામધૂમથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
રથયાત્રા પહેલાની દરેક પરંપરાની થશે ઉજવણી
જળયાત્રા,નેત્રોત્સવ વિધિ,સોનાવેશ,ધ્વજારોહણ થશે
24 જૂને યોજાશે મંદિરમાં જળયાત્રા
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઈ રહ્યો છે. વાયરસની બીજી લહેરે દેશમાં એવો કહેર મચાવ્યો કે ત્રાહિમામના કારણે કેટલાય પરિવારો વિખરાઈ ગયા. મહામારીમાં ભારતીયો તહેવારો પણ ભૂલી જ ગયા હતા.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ મોટા સમાચાર
ચોમાસું અને શ્રાવણ મહિનો આવતા ગુજરાત સહિત આખા દેશમાં તહેવારોની સિઝનની શરૂઆત થાય છે. ભારતમાં કોરોના વાયરસના કેસ હવે ફરી ઓછા થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે પણ રથયાત્રામાં સાદાઈથી ઉજવણી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
વર્ષો જૂની મંદિરની પરંપરાની રીત બદલાશે પરંતુ પરંપરા જળવાઈ રહેશે
અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી દાયકાઑથી દર વર્ષે ધામધૂમથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે મહામારીમાં પણ મંદિરની પરંપરા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવશે. જોકે આ વર્ષે પરંપરાની રીત બદલાશે પણ પરંપરા જળવાઈ રહેશે.
આગામી 24 જૂને યોજાશે મંદિરમાં જળયાત્રા
નોંધનીય છે કે રથયાત્રા થાય તે પહેલા અનેક વિધિ અને પરંપરાનું પાલન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ભગવાન જલયાત્રાથી લઈને અન્ય પરંપરાઓ સાદાઈથી ઉજવવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જગન્નાથથી મંદિરમાં જળયાત્રા, નેત્રોત્સવ વિધિ, સોનાવેશ, ધ્વજારોહણ સહિતની તમામ પરંપરાનું પાલન કરવામાં આવશે. જોકે સમગ્ર આયોજન સાદાઈથી થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આગામી 24મી જૂને મંદિરમાં જળયાત્રા પણ યોજવામાં આવશે. નોંધનીય છે કે અમદાવાદના શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે કે નહીં તે મુદ્દે આગામી બેઠક બાદ નિર્ણય કરવામાં આવશે.