અમદાવાદમાં આ વર્ષે 143મી રથયાત્રા નિકળવાની છે. રથયાત્રા પહેલા શહેરમાં જળયાત્રા નિકળે છે. શહેરમાં આવેલ જગન્નાથ મંદિરથી નીકળી સાબરમતી નદી સુધી જળયાત્રા નિકાળવામાં આવે છે. જો કે કોરોના સંકટ વચ્ચે જળયાત્રાને લઇને મંદિરમાં મહંત દિલિપદાસજી અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં જળયાત્રામાં ગજરાજને મંજૂરી સહિત બંદોબસ્ત સાથે સુરક્ષા સહિતના મુદ્દાઓને લઇને ચર્ચા થઇ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં નિકળવાની જળયાત્રાને લઈને તૈયારીઓ
જળયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં યોજાઈ બેઠક
જળયાત્રામાં ગજરાજને મંજૂરી મળે તે અંગે બેઠક
અમદાવાદમાં આ વર્ષે 143મી રથયાત્રા નિકળવાની છે. ત્યારે શહેરમાં રથયાત્રા પહેલા જળયાત્રા નિકળે છે. શુક્રવારે અમદાવાદના જગન્નાથ મંદિરથી જળયાત્રા નિકળવાની છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આજે મહંત દિલીપદાસજી મહારાજ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ. જળયાત્રામાં ગજરાજને મંજૂરી મળે તે અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. જળયાત્રામાં પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દાઓને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જળયાત્રાને લઈને સાબરમતી નદી જતા માર્ગને ખુલ્લો કરાયો
અમદાવાદમાં આ વર્ષે 143મી રથયાત્રા નિકળવાની છે ત્યારે તે પહેલા શુક્રવારે શહેરમાં જળયાત્રા નિકળવાની છે. આ જળયાત્રાને લઈને સાબરમતી નદી જતાં માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો છે. લોકડાઉનમાં સાબરમતી નદીના આરે જવાનો રસ્તો બંધ કરાયો હતો.
ત્યારે હવે જળયાત્રાને લઈને આ રસ્તો ખુલ્લો મુકાયો છે. આ જળયાત્રામાં ભજન મંડળીઓ, ભક્તો, અતિથિઓ જો કે જોડાશે નહીં. માત્ર મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને સાધુઓની હાજરીમાં સાદાઈથી જળયાત્રા નિકળશે. કોરોનાના કહેરને લઈને ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને પણ સાદાઈથી નિકળશે.