અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. ત્યારે આવતીકાલે શહેરના આ 8 વિસ્તારોમાં કર્ફ્યૂ રહેશે.
સોમવારે નગરનાથની નીકળશે રથયાત્રા
અમદાવાદના 8 વિસ્તારોમાં કર્ફ્યૂ
સવારે 7 વાગે રથયાત્રા પ્રસ્થાન કરી 12 વાગે નીજ મંદિર ફરશે પરત
અમદાવાદમાં રથયાત્રાને લઇ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. રથયાત્રામાં માત્ર 3 રથ સાથે 120 ખલાસીઓને મંજૂરી આપવામાં આવી છે. આથી રથયાત્રમાં જોડાવનાર તમામ ખલાસીઓના કોરોના ટેસ્ટનું આયોજન કરાયું છે. આવતીકાલે બપોરે 3.30 વાગે મંદિરમાં વેકસિનેટેડ તમામ ખલાસીઓનું કોરોના ટેસ્ટ થશે. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસે એક જાહેરનામુ બહાર પાડ્યું છે.
સોમવારે અમદાવાદના આ વિસ્તારોમાં કર્ફ્યૂ
સોમવારે રથયાત્રા નીકળવાની હોવાથી શહેરના ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. સાથે જ લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવામાં પોલીસતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કયા રૂટ પરથી નીકળશે રથયાત્રા?
જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન 7 AM
મ્યુનિસિપલ કોર્પોરેશન 7:35 AM
રાયપુર ચકલા 7:50 AM
ખાડિયા ચાર રસ્તા 8 AM
કાલુપુર સર્કલ 8:20 AM
સરસપુર 8:40 AM
રથયાત્રા વિરામ 8:40 AM થી 8:50 AM
સરસપુરથી પ્રસ્થાન 8:50 AM
કાલુપુર સર્કલ 9:15 AM
પ્રેમ દરવાજા 9:30 AM
દિલ્હી ચક્લા 9:50 AM
શાહપુર દરવાજા 10:10 AM
આર.સી.હાઈસ્કૂલ 10:35 AM
પિતળીયા બંબા 10:55 A
પાનકોર નાકા 11:10 AM
માણેક ચોક 11:30 AM
જગન્નાથ મંદિર પરત 12 PM
કેવો ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત?
21 કિમીના રૂટ પર રહેશે પોલીસનો લોખંડી બંદોબસ્ત
42 DCP, 74 ACP, 230 PI, 607 PSI રહેશે હાજર
11,800 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ રહેશે સુરક્ષામાં
34 SRP કંપની અને CAPF 9 કંપની રહેશે તૈનાત
ચેતક કમાન્ડોની 1 ટીમ રહેશે સુરક્ષામાં તૈનાત
5900 હોમગાર્ડ જવાનો રહેશે સુરક્ષામાં તૈનાત
બૉમ્બ સ્કોડની 13 ટીમ અને QRTની 15 ટીમો તૈનાત રહેશે
રૂટમાં 8 પોલીસ સ્ટેશનના હદમાં રહેશે કર્ફ્યૂ
કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે
લોખંડી બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા
15 જેટલા ડ્રોનથી હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે
ધાબા પોઇન્ટ આપી દૂરબીનથી રખાશે બાજ નજર
94થી વધુ CCTV કેમેરાથી રૂટનું નિરીક્ષણ કરાશે
ગૃહ રાજ્યમંત્રીનું પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું
અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રથયાત્રાને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું. ગૃહ રાજ્યમંત્રીનું પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું. અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે 12 જૂલાઈએ રથયાત્રા નીકળશે. જેમાં અમિત શાહ મંગળા આરતી કરશે અને સીએમ રૂપાણી પહિંદવિધિ કરશે.
કોરોના પ્રોટોકોલનું કરાશે પાલન
પ્રદીપસિંહે કહ્યું કે કોરોનાની સ્થિતિમાં લોકોની આસ્થા-સ્વાસ્થ્યનું જતન કરવાનું છે. અને અલગ પરિસ્થિતિ હોવાના કારણે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરાયું છે. સાથે જ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાશે. અને 16 જેટલા ડ્રોન સહિતથી દેખરેખ રખાશે. કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રખાશે.
પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે
હવે જ્યારે રથયાત્રને સરકારની મંજૂરી મળી ગઈ છે રથયાત્રાના આયોજની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જો કે રથયાત્રાને લઈ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી હવે જ્યારે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે આગોતરી જાણકારી આપવામાં આવી છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી નિજ મંદિર ખાતે આરતીમાં કરશે, ત્યારે બાદ સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં ભાગ લેશે પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે.
નિયમો સાથે નીકળશે નાથનો રથ
નાથની યાત્રા હશે ભક્તો વિનાની
60 ખલાસીઓ ખેંચશે રથ
19 કીમી હશે રથયાત્રા
રથયાત્રામાં 5 જેટલા વાહનો સામેલ થશે
મહંત અને ટ્રસ્ટી અને 3 રથ સાથે 5 વાહનોને પરમિશન આપવામાં આવશે
ખલાસીઓ 48 કલાક અગાઉનો RT-PCT નેગેટિવ હશે તો જ ભાગ લઈ શકશે
વેક્સિનનું પ્રથમ ડોઝ લીધેલા ખલાસીને અગ્રીમતા આપવામાં આવશે
રથયાત્રા સાથે જોડાશે તેને ફેસ કવર માસ્કના નિયમનો પાલન કરવાનું રહેશે
હાથી, ટ્રક, ભજન મંડળી ,અખાડાને મજૂરી આપવામાં આવી નથી
રથયાત્રાના રૂટ પર પોલીસનું રહેશે સખત મોનિટરીંગ
લોકો મકાનની છત પર એકઠા ન થયા તે માટે મોનિટરીંગ
રથયાત્રા રૂટ પર 15 જેટલા ડ્રોન વડે મોનિટરીંગ કરશે
ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે
શહેરમાં 19 કિ.મી રથયાત્રાના રૂપ પર આવતા તમામ વિસ્તારોમાં કર્ફ્યૂ લગાડવામાં આવશે જેથી ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે તેમજ અમદાવાદની રથયાત્રા સાથે 7 પોલીસ સ્ટેશનનો વિસ્તાર સંકળાયેલો છે જેથી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ રહેશે. સવારે 4થી 5 કલાકમાં રથ નિજ મંદિર પરત ફરે ત્યાં સુધી એટલા સમય પૂરતો કર્ફ્યૂ રહેશે. સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કર્ફયૂ લગાવવામાં આવશે, જેમાં સ્થાનિક પોલીસ સાથે SRPની 20 ટૂકડીઓ ડિપ્લોય કરી દેવમાં આવી છે, રથયાત્રાના રથ નિજ મંદિરમાં પરત ફરતા જ કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવામાં આવશે.
કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે મહંત દિલીપદાજીએ અપીલ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રાજ્ય સરકારે રથયાત્રાને મંજૂરી આપી છે. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ કહ્યું કે રાજ્ય સરકારે કોરોના નિયમ મુજબ રથયાત્રા કાઢવા મંજૂરી આપી છે. આ સમાચાર સાંભળી ખુશી થાય છે કે નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે નગરજનોને કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે દિલીપદાજીએ અપીલ કરી છે અને ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરવા કહ્યું છે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા હવે ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.