ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે આજે નગરચર્યાએ નિકળ્યા છે. ત્યારે સમગ્ર શહેરમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટયું છે અને આ ઉત્સવ રંગેચંગે, વિના વિઘ્ને પાર પડે તે માટે પોલીસ કમિશનર, આઠ આઈજી-ડીઆઈજી, ૪૦ ડીસીપીપ, ૧૦૩ એસીપી સહિત ૨૦ હજારથી ય વધુ પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે.
૨૧૯ પીઆઈ, ૭૭૪ પીએસઆઈ, મહિલા પોલીસ સહીત ૧૩૭૦૯ પોલીસ જવાનો, એઆરપીના ૧૧૭ સેકશન, પેરામીલેટરી ફોર્સની ૨૨૫ સેક્શન, ચેતક કમાન્ડો ટીમ, હોમગાર્ડ ૫૪૦૦, બીડીડીએસની કુલ ૧૭ ટીમ તથા ડોગ સ્કવોડની ટીમો તૈયાર કરાઈ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી સતત વાદળ છાયુ વાતાવરણ છવાયેલુ છે, પરંતુ વરસાદ ના આવતાં વાતાવરણમાં ઉકળાટ વધ્યો હતો. જ્યારે અસહ્ય ઉકળાટ વચ્ચે આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા છે. ત્યારે હંમેશની જેમ મેધરાજાએ અમીછાંટણા કર્યા છે.