આજે અષાઢી બીજના દિવસે અમદાવાદના જમાલપુરથી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રાનો રૂટ શું રહેશે અને રથયાત્રાને પગલે આજે કયા કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેની માહિતી અમદાવાદ પોલીસે આપી છે.
— Ahmedabad Police (@AhmedabadPolice) July 2, 2019
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને શહેરના મોટાભાગના રસ્તાઓ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેવાના છે. તો આવનજાવન માટે કયા વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, તે પણ અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું છે.