ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં રથયાત્રા યોજવા મામલે રોક લગાવી છે. કોરોના મહામારીને લઇ આ નિર્ણય લેવાયો છે. અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની 143મી રથયાત્રાને આ વર્ષે પરવાનગી ન મળવી જોઇએ તેવી માંગણી કરતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. અરજદારે અરજીની તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. ગઇકાલે આ અરજી પર હાઇકોર્ટે આ અરજી પર સ્ટે આપ્યો હતો. ત્યારે આજે જગન્નાથ મંદિર ખાતે બેઠક મળી હતી.
અમદાવાદમાં રથયાત્રા યોજવા મામલે હાઇકોર્ટનો સ્ટે
ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે
આ વર્ષે રથયાત્રા નિજમંદિરમાં જ થશેઃ દિલીપદાસજી
અમદાવાદની રથયાત્રાને માત્ર હવે એક દિવસ જ બાકી રહ્યા છે. આ વર્ષે અમદાવાદમાં દેશની બીજી સૌથી મોટી રથયાત્રા નહીં યોજાય. ત્યારે અમદાવાદની જગન્નાથ રથયાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે. બીજના દિવસે રથયાત્રા પૂર્વે સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે મંગળા આરતીમાં ભાગ લેશે.
આ વર્ષે રથયાત્રા નિજમંદિરમાં જ થશેઃ દિલીપદાસજી
રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં બેઠક મળી હતી. પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, મંદિર પરિસરમાં દર્શન માટે રથ મુકાશે. આ વર્ષે રથયાત્રા નિજમંદિરમાં જ થશે. આખો દિવસ દર્શન માટે રથ મુકાશે. લોકો ઘરે બેસી રથયાત્રાના દર્શન કરે. રથ મંદિરના પ્રાંગણમાં રહેશે.
CM રૂપાણી અને ગૃહમંત્રી અમિત શાહને નિમંત્રણ આપીશુંઃ દિલીપદાસજી
વધુમાં દિલીપદાસજીએ કહ્યું કે, પહિંદવિધિ માટે અમે નિમંત્રણ આપીશું. અમે CM રૂપાણી અને ગૃહમંત્રી અમિત શાહને નિમંત્રણ આપીશું. પ્રથમવાર રથ મંદિરની બહાર નહીં નીકળે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવાનું છે. મહામારીથી બચવા માટે સહભાગી થવુ પડશે. કર્ફયૂ છતાં ભગવાનને જોવા લોકોના બહાર આવવાની શક્યતા હતી. સમાજના લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે એ હેતુથી નિર્ણય લેવાયો છે.