દિવસભર નગરચર્યા કરીને જગન્નાથ ભગવાનનો રથ નીજ મંદીર પરત ફર્યો છે. મંદિરે મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનનું સ્વાગત કર્યું હતું. વાજતે-ગાજતે રથયાત્રા નીજ મંદીરે પરત ફરતા ભક્તિમય માહોલ બન્યો હતો. નિજ મંદિરે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે રથનું સ્વાગત કર્યું હતુ. બહોળી સંખ્યામાં ભક્તોએ નીજ મંદીર ખાતે ભગવાનનું સ્વાગત કર્યુ હતુ. મંદિરે રોશની અને રંગબેરંગી લાઈટોને કારણે આકર્ષક દ્રશ્યો સર્જાયા હતા. નગરચર્ચા બાદ ભગવાન બહેન તથા ભાઈ સાથે નીજ મંદીરે ફર્યા પરત હતા.
વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે નિજ મંદિરમાં ભક્તિમય માહોલ બન્યો હતો. રથમાં બિરાજમાન જગતના નાથની CM અને Dy.CM દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી. અને ભગવાનના ત્રણેય રથ નગરચર્યા માટે નીકળ્યા હતા. CM રૂપાણીએ રથનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બળભદ્રના રથ હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ સરસપુર પહોંચી હતી. અને મોસાળમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભગવાનના મામેરામાં સરસપુરવાસીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સરસપુર પહોંચતા પહેલા રથયાત્રા AMC ગાયકવાડ હવેલી જમાલપુર દરવાજા ખાડીયા રાયપુર વિસ્તારોમાં ફરીને મોસાળ પહોંચી હતી. મોસાળમાં ભગવાનનું હરખભેર સ્વાગત કરાયું હતું. રથયાત્રા રાયપુર પહોંચતા મેઘરાજાએ અમી છાંટણા પાડીને ભગવાનને વધાવ્યા હતા. મોસાળમાં મારેરું ભરાયા બાદ કાલુપુર થઇને રથયાત્રા પરત ફરીહતી. દરિયાપુર ખાતે ગૃહમંત્રી રથયાત્રામાં જોડાયા હતા. દરિયાપુરથી ભગવાનના રથ દિલ્હી ચકલા પહોંચ્યા હતા અને ત્યાંથી ભગવાનના રથો શાહપુર થઈને ઘી કાંટા પહોંચ્યા હતા. ઘી કાંટાથી નીકળ ત્રણેય રથ પાનકોરનાકા પહોંચ્યા છે. આમ જગતના નાથે દિવસભર નગરચર્યા કરી હતી.
પહિંદવિધિ
પહિંદવિધિ બાદ CM રૂપાણીએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાજતે અને ગાજતે સૌ કોઈ ભગવાન જગન્નાથ સાથે રથયાત્રામાં જોડાયા. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ પણ આ વખતે પહિંદવિધિ માં જોડાયા હતા.
અમિત શાહે કર્યા દર્શન
તો જગતના નાથ એવા જગન્નાથના દર્શન કરવા અમિત શાહ દિલ્લીથી અમદાવાદ આવ્યા હતા અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યાં હતા. અને જગન્નાથજીના દર્શન કર્યા હતા.
અમી છાંટણા
લોકોને દર્શન આપવા માટે જ્યારે ભગવાન જગન્નાથજી નીકળ્યા ત્યારે મેઘરાજા પણ પોતાને ન રોકી શક્યા. જગન્નાથજીની રથયાત્રા જ્યારે રાયપુર ચકલા પહોંચી ત્યારે અમી છાંટણા થયા. મેઘરાજાએ અમી છાંટણા સ્વરૂપે પ્રેમ વરસાવ્યો ત્યારે ભક્તો પણ ખુશીથી ભીંજાઈ ગયા.
ગજરાજ સાથે સેલ્ફી
જગન્નાથજી જયારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે લોકોએ ગજરાજ સાથે સેલ્ફી પણ લીધી. જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું. ગજરાજ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે સૌ કોઈ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
સાડા નવ કિલોનો મુગટ
સાડા નવ કિલોનો મુગટ પહેરીને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. આ વર્ષે ભગવાનના અલંકારો ખાસ બનારસથી તૈયાર કરવામાં આવ્યા. વિદેશમા રહેતા રમેશ પટેલ નામના ભક્તે ભગવાન જગન્નાથજીને સોનાનો મુગટ અર્પણ કર્યો.
ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ
ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કરેલા ટેબ્લોમાં હેરિટેજની ઝાંખી જોવા મળી હતી. તો બેટી બચાવો-બેટી પઢાઓ ડિજિટલ ઈન્ડિયા અને સ્વચ્છતા અભિયાનનો સંદેશ પણ ટેબ્લો દ્વારા આપવામાં આવ્યો.
સુરક્ષા સાથે દર્શન
"જય રણછોડ માખણચોર"ના નાદ સાથે રથયાત્રા નીકળી ત્યારે ભક્તોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. કંટ્રોલ રૂમમાં CCTVથી સમગ્ર રૂટનું મોનિટરિંગ કરવામાં આવ્યું.
પાલખીનું સ્વાગત
સરસપૂરમાં ભગવાન જગન્નાથની પાલખી નીકળી ત્યારે સૌ કોઈ ભક્તિના રંગમાં રંગાઈ ગયા. ઢોલ નગારાના તાલે ઝુમી ઉઠેલા ભક્તોએ પાલખીનું સ્વાગત કર્યું.
કરતબબાજીના ખેલ
તો આ વખતે પણ રથયાત્રામાં કરતબબાજોએ લોકોનું ધ્યાન આકર્ષીત કર્યું. ગોળ ચકરડી લાઠીદાવ બૉડી બિલ્ડર તેમજ અવનવા સ્ટન્ટે આકર્ષણ જમાવ્યું. કરતબબાજીના આ ખેલમાં 10 વર્ષના નાના બાળકથી માંડીને યુવાનો તેમજ મોટી વયના લોકોએ પણ ભાગ લીધો.
ભાવુક થયા ભ~તો
જગન્નાથજીની યાત્રા જ્યારે AMC પહોંચી ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભગવાન જ્યારે સ્વયં પધાર્યા હોય ત્યારે કેટલાક ભક્તો પોતાના ખુશીના આસું રોકી ન શક્યા. તો કેટલાક ભક્તો ખુશીથી ઝુમી ઉઠયા. ભગવાનની રથયાત્રા જ્યારે AMC પહોંચી ત્યારે ભક્તોએ ઉમળકાભેર તેનું સ્વાગત કર્યું.
ખાડિયામાં સ્વાગત
તો ખાડિયામાં પણ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 181 ટ્રક સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખાડિયા પહોંચી ત્યારે ભગવાનના દર્શન કરવા માટે પડાપડી જોવા મળી. જય રણછોડ માખણચોરના નારા સાથે ખાડિયામાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભજન મંડળીઓ જોડાઈ
141મી રથયાત્રામાં આ વખતે ભજનમંડળીઓએ પણ આકર્ષણ જમાવ્યું. માત્ર અમદાવાદ જ નહીં પણ રાજ્યભરમાંથી ભજનમંડળીઓ આ વખતે રથયાત્રામાં જોડાઈ હતી. ઢોલ-મંજિરા સાથે જ્યારે ભજનમંડળીઓએ ભજન ગાયા ત્યારે લોકો પણ ભક્તિના તાલે ઝુમી ઉઠયા.
ભીંજાયા ભ~તો
તો રથયાત્રા પહોંચે તે પહેલા કાલુપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભગવાનના દર્શનની આતૂરતાથી રાહ જોઈ રહેલા ભક્તો વરસાદમાં પલળી ગયા. વરસાદમાં પલળ્યા બાદ ભક્તોનો ઉત્સાહ વધી ગયો.
ભવ્યાતિભવ્ય મામેરૂ
સરસપૂરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાયું. ભાઈ ભલરામ અને બહેન સુભદ્રા સાથે સરસપુર પહોંચેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સૌ કોઈએ વધાવી લીધી. મોસાળમાં ભગવાનનું મામેરૂ પ્રદર્શીત કરાયું ત્યારે આ વર્ષે પણ મોટીસંખ્યામાં ભક્તોએ તેનો લ્હાવો લીધો.
મામાને ઘેર આરામ કર્યો
સરસપૂરમાં મામાના ઘેર થોડો સમય વિરામ કર્યા બાદ ભગવાનના રથ આગળ વધ્યા. સરસપૂરમાં ભગવાને થોડો સમય વિરામ કર્યો તો તેની સાથે ભક્તોને પણ થોડો આરામ મળી ગયો. ભગવાનના રથ સાથે ચાલનારા ભક્તોએ થોડો સમય આરામ કરીને પોતાનો થાક દૂર કર્યો.
કાલુપુરમાં રથનું સ્વાગત
સરસપૂરમાં વિરામ કર્યા બાદ ભગવાનની રથયાત્રા કાલુપુર પહોંચી ત્યારે. કાલુપુરમાં પણ ભક્તોએ ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કર્યું. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભગવાનની રથયાત્રા કાલુપુર પહોંચી હતી. ભગવાનની રથયાત્રા કાલુપુર પહોંચી ત્યારે ભક્તોની સાથે સાથે રથયાત્રામાં જોડાયેલા કરતબબાજો અને ભજનમંડળીની બહેનોમાં પણ સ્ફૂતિ જોવા મળી.
ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા
ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રેમ દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપશસહ જાડેજા પણ ભક્તો સાથે જોડાયા. પ્રેમ દરવાજાથી શાહપુર સુધીના રૂટ પર પ્રદિપસિંહ જાડેજા પણ ભગવાનના રથ સાથે ચાલ્યા. છેલ્લા 35 વર્ષથી પ્રદિપસિંહ જાડેજા રથયાત્રામાં ભાગ લે છે. ત્યારે આ વખતે પણ રથયાત્રામાં સામેલ થવાનો મોકો મળતા પ્રદીપશસહ જાડેજાએ ધન્યતા અનુભવી.
પ્રિયંકા ચતૂર્વેદીએ કર્યા દર્શન
તો કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતૂર્વેદીએ પણ આ વખતે રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શનનો લ્હાવો લીધો. તો પ્રિયંકા ચતૂર્વેદી સાથે દરિયાપૂરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. રથયાત્રાને નિહાળ્યા બાદ બંને મહાનુભાવોએ ખુશી વ્યકત કરી.
કોમી એકતાનો નજારો
ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે તંબુચોકી વિસ્તારમાં પહોંચી ત્યારે કોમી એકતાનો અદભુત નજારો જોવા મળ્યો. તંબુચોકી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ મહંત દિલીપદાસજીનું સ્વાગત કર્યું. મુસ્લિમ બિરાદરોએ સાફો પહેરાવીને મહંત દિલીપદાસજી મહારાજનું સન્માન કર્યું.