આજે રાજ્યમાં અમદાવાદ સાથે અલગ-અલગ જગ્યાએ રથયાત્રા નીકળી છે. જેમાં ભાવનગર અને બનાસકાંઠાના પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.
પાલનપુરમાં નિર્મોહી અખાડાના સંતો દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. 17 કિલોમીટર લાંબા માર્ગ પર ફરી રાત્રે 10 વાગ્યે રથયાત્રા પૂર્ણ થશે.
ત્યારે ભાવનગરમાં રાજા વિજયરાજસિંહજીએ ભગવાન જગન્નાથજીની પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તો સાથે રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 27 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી. ત્યારે ભગવાનના દર્શનનો લ્હાવો લેવા ભક્તો ઉમટી પડ્યા છે.