બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા, 108 કળશના જળથી કરાશે પ્રભુનો જળાભિષેક
Last Updated: 09:14 AM, 22 June 2024
અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આજે ભગવાન જગન્નાથજીની 147મી જળયાત્રા
ADVERTISEMENT
દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે. ત્યારે આજે એ માટેની ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે. ભગવાન જગન્નાથ મંદિરથી નદીના ઘાટ સુધી જળયાત્રા નીકળે છે. આ ઉત્સવ નિમિતે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર સાંભળવા મળી રહ્યો છે. ભગવાન બળદગાડામાં બિરાજમાન થઈ ગયા છે.
ટુંક સમયમાં જળયાત્રા ભુદરના આરે જવા થશે રવાના
ADVERTISEMENT
ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકી જળયાત્રા મુખ્ય યાત્રા ગણાય છે. જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. અહીં ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરાશે.
વધુ વાંચો: રથયાત્રા પહેલાં એકતા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન, પોલીસ કમિશનર અને દિલીપદાસજી મહારાજે કરી બેટિંગ
ADVERTISEMENT
ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે જળાભિષેક
108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થાય છે. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો પણ જોડાશે. મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે. રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.