'ઘીના ઠામમાં ઘી પડ્યુ'. આ વર્ષે કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે આ વર્ષે પરવાનગી મળી ન હતી ત્યારે મંદિરના પ્રાંગણમાં જ ભગવાનને નગરચર્યાને વિરામ આપવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે મંદિરના મહંત અને સંત સમાજ સરકારથી નારાજ થયો હતો. આ મામલે આખરે મહંત અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં બંને પક્ષે ખુલાસો કરવામાં આવ્યો હતો કે સો કોી સલામત છે.
સરકાર સામે કે કોઈ વ્યક્તિ સમક્ષ નારાજગી નથી
સરકારે જે મહેનત કરી એની પૂર્ણ માહિતી નહોતી
રમત કે ગેમ ની કોઈ વાત નથી
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જગન્નાથ મંદિર પહોંચ્યા છે. મહંત દિલીપદાસજી સાથે પ્રદીપસિંહ જાડેજાએ બેઠક કરી હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજી મહારાજ પત્રકાર પરિષદને સંબોધી હતી.
શું કહ્યુ દિલિપીદાસજીએ?
ગૃહ રાજ્યમંત્રી જગન્નાથ મંદિરના મહંતને મનાવવામાં સફળ થયા છે. જગન્નાથ મંદિરના દિલિપદાસજી મહારાજ નારાજ થયા હતાં. આ મામલે તેમણે નિવદેન ક્યુ હતું અને જણાવ્યુ હતું કે સરકાર સામે કે કોઈ વ્યક્તિ સમક્ષ નારાજગી નથી. સરકારે જે મહેનત કરી એની પૂર્ણ માહિતી ન હતી. રમત કે ગેમની કોઈ વાત નથી. ચુકાદો આવ્યો એની જાણ નહોતી અને હું પૂજા માં હતો. કોઈપણ પ્રકારનું દબાણ નથી. પરંતુ કોઈ અણસમજ ન થાય એટલા માટે ખુલાસો કર્યો છે.
શું કહ્યુ ગૃહ રાજ્યમંત્રીએ?
આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે મહંત દિલીપદાસજીએ સંતોષ વ્યક્ત કર્યો છે. અને રથયાત્રાના વિવાદનો અંત આવ્યો છે.
રથયાત્રા વિવાદઃ અમારી સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી, ગેરસમજના કારણે મે એવું નિવેદન આપ્યું હતુ, હાઈકોર્ટથી વહેલો ચુકાદો આવ્યો હોત તો સુપ્રીમમાં જઈ શક્યા હોત : મહંત દિલીપદાસજીનું પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક બાદ નિવેદન@PradipsinhGuj#RathYatra2020#Ahmedabad@CMOGujpic.twitter.com/mIKVJ3ZqD7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 25, 2020