2020નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. કારણ કે, સરકારે રાત્રિ કરફ્યૂ લગાવ્યું છે તેની અમલવારી 31 ડિસેમ્બરના દિવસે પણ ચાલું રાખવામાં આવશે. જોકે જાન્યુઆરીમાં પણ રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહી શકે છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે કે, રાત્રિ કર્ફ્યૂને લઇને કેસ ઘટ્યા જેથી રાત્રિ કર્ફ્યુ જરૂરી છે.
ગુજરાત હાઇકોર્ટે પણ કહ્યું કે રાત્રિ કર્ફ્યૂ જરૂરી છે
રાત્રિ કર્ફ્યૂ હજુ વધુ સમય ચાલુ રહેવું જોઇએઃ હાઇકોર્ટે
રાત્રિ કર્ફ્યૂને કારણે કોરોનાના કેસની સંખ્યા ઘટી છેઃ હાઇકોર્ટે
કોરોના સંક્રમણને લઇને કાબૂમાં રાખવા જાન્યુઆરી મહિનામાં રાત્રિ કર્ફ્યુ રહી શકે છે. ગુજરાતના 4 મહાનગરોમાં કર્ફ્યુને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે પણ કહ્યું કે રાત્રિ કર્ફ્યુ જરૂરી છે, રાત્રિ કર્ફ્યુ હજુ વધુ સમય ચાલુ રહેવું જોઇએ. રાત્રિ કર્ફ્યૂને કારણે કોરોનાના કેસની સંખ્યા ઘટી છે.
31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસની જાહેરાત
કોરોના સંક્રમણને લઇ રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયું છે ત્યારે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ હજુ યથાવત રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ છે. આગામી 31st ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. તેવામાં ગુજરાત પોલીસ પણ આ તહેવારો પહેલા જ અલર્ટ થઇ ગઇ છે. મહાનગરોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ જાહેરનામાના ભંગના ગુના નોંધી રહી છે. અમદાવાદ પોલીસે આ અંગે જાહેરાત કરી હતી કે, 31 ડિસેમ્બરે કોઈ નિયમ ભંગ કરશે તો તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે. 9 વાગ્યા પહેલા 31 ડિસેમ્બરની ઉજવણી કરી શકાશે. 31 ડિસેમ્બરના રોજ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવશે અને દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે.
અમદાવાદ પોલીસે જાહેરનામા ભંગના નોંધ્યા અનેક ગુના
અમદાવાદ પોલીસે 24 માર્ચથી 13 ડિસે. સુધીમાં 35,745 કેસો થઇ ચૂક્યા છે. તો પોલીસે 44,667 આરોપીઓની ધરપકડ કરી છે. માસ્ક ન પહેરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. માસ્ક ન પહેરવા બદલ 3 લાખ 13 હજાર 983 કેસો કર્યા છે. અત્યાર સુધી માસ્ક નહીં પહેરવા બદલ 18.41 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે.
હાલ નહીં હટાવવામાં આવે રાત્રિ કર્ફ્યુઃ પ્રદિપસિંહ જાડેજા
રાત્રિ કર્ફ્યુ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કહ્યું હતું કે, મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ હાલ હટાવવામાં નહીં આવે. રાત્રિમાં થતી ભીડને લઇ નિર્ણય લેવાયો હતો.