પ્રલય યો સર્જન બંને જેની દેખરેખમાં તૈયાર થાય છે તેવા શિક્ષક કોઈ દિવસ સાધારણ ન હોઈ શકે પરંતુ વારંવાર સરકારની શિક્ષણ નીતિ સામે સવાલો ઉઠી છે ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષથી શિક્ષણસંઘ દ્વારા શિક્ષણમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતા આખરે શિક્ષકોએ પોતાના હક્ક માટે #4200gujarat શરૂ કર્યુ છે.
શિક્ષકોએ પોતાના હક માટે #4200gujarat કેમ્પઈન શરૂ કર્યું
પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે 4200થી ઘટાડીને 2800 કરાયો છે. જેને પરિણામે ગ્રેડ પે ઘટાડતા 65000 શિક્ષકોને અસર થશે.
શું છે સરકારી નીતિ
સરકારે શિક્ષકોના ગ્રેડ પેમાં ઘટાડો કરતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને ગ્રેડ પે પાછો આપવાની માંગ સાથે વોટ્સએપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે.
શું કહે છે શિક્ષકો
શિક્ષક સંઘ વિવિધ તબક્કે રજૂઆત કરી ચૂક્યા છે કે, જે 4200 હતો એને 2800 કેમ કરી દીધો. બીજા કોઈ વિભાગમાં નહીંને શિક્ષકોનો પગાર ઘટાડો કેમ? અમે પગાર વધારો નથી માંગતા. જે વર્ષો થી નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 મળતો હતો. જે સરકારે 2800 કરી દીધો છે. એ 4200 ચાલુ રાખવામાં આવે એવી લડત છે.
પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષકો કહે છે કે, 2010 પછી 65000 શિક્ષકો છે. 2019ના એક પરિપત્રની વિસંગતતાના કારણે અમારો ગ્રેડ પે 4200 રૂપિયાથી ઘટાડીને 2800 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 65000 શિક્ષકોને અન્યાય થશે. આ અંગે અમારી છેલ્લા દોઢ વર્ષથી સરકાર સાથે વાતો ચાલી રહી છે. સરકાર પોઝિટિવ વાતો કરે છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.