અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મામલે મોહન ભાગવત અને પ્રવીણ તોગડીયા આમને સામને આવી ગયા છે. તોગડીયાએ સંસદમાં કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ શરૂ કરવા સરકારને શિખામણ આપી. તો આ નિવેદન પર પ્રવીણ તોગડીયાએ ઉઠાવ્યા સવાલ છે.
તેમણે કહ્યું કે સાડા ચાર વર્ષમાં સરકાર અને આરએસએસને કેમ યાદ ન આવ્યા રામ ?. ચૂંટણી નજીક આવી એટલે મંદિરની યાદ આવી ?. આ સવાલની સાથે જ તોગડીયાએ ભાજપની વર્ષ 1989માં મળેલી કાર્યકારીણીની વાત યાદ કરાવી. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળે તો મંદિર નિર્માણની ચર્ચા થઇ હતી.
તોગડીયાએ આરોપ લગાવ્યો કે સાડા ચાર વર્ષથી રામભક્તોનો અવાજ દબાવવામાં આવ્યો છે. વર્ષ 2017માં રામ મંદિર માટે સંસદના કાયદા અંગે બોલવાથી રોક્યો હતો અને થોડા દિવસ પહેલા રામ મંદિર માટે આંદોલન કરનાર સંત પરમહંસદાસને યૂપી પોલીસ ઘસડીને લઇ ગઇ.
ત્યારે સરકાર અને આરએસએસ બન્ને ચુપ રહ્યા. આમ વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા બાદ પ્રવીણ તોગડીયાના સૂર બદલાઇ ચુક્યા છે. પરંતુ રામ મંદિરના નિર્માણ માટે તેઓ પણ સ્વતંત્ર રીતે આંદોલન કરી રહ્યા છે.