ગુજરાતમાં આજરોજ મકરસંક્રાતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે કોરોનાકાળ દરમિયાન આવેલ મકરસંક્રાતિને લઇને સરકાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. જો અમદાવાદ શહેર પોલીસ ઉત્તરાયણના પર્વને લઇને સતર્ક જોવા મળી છે.
અમદાવાદમાં ઉતરાયણના પર્વને લઈને પોલીસ સતર્ક
પોલીસે ઉતરાયણમાં મૂક્યા ધાબા પોઈન્ટ
દુરબીન અને વોકીટોકી સાથે સતત વોચ રાખવામાં આવશે
હાલ રાજ્યમાં કોરોનાવાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને ઉત્તરાયણની ઉજવણી માટે ગાઇડલાઇન જાહેર કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસ મકરસંક્રાતિને લઇને સતર્ક જોવા મળી રહી છે.
શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણમાં ધાબા પોઇન્ટ મુકવામાં આવ્યાં છે. આ સાથે દૂરબીન અને વોકીટોકી સાથે સતત વોચ રાખવામાં આવશે. આ સાથે ધાબા પર ટોળુ એકત્રિત થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો ધાબા પર માસ્ક વગર લોકો દેખાશે તો પોલીસ તરત ધાબા પર પહોંચશે. રથયાત્રાની જેમ ધાબા પોઇન્ટ અને દુરબીનથી શહેરમાં વોચ રાખવામાં આવશે. આ સાથે જાહેર રોડ પર પતંન ચગાવી શકાશે નહીં.
ઉત્તરાયણની ઉજણીની સરકારી ગાઇડલાઇન
ઉત્તરાયણની ઉજવણીમાં સરકાર ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. કોવિડ-19ના નિયમો અંગે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇનું મકરસંક્રાતિ પર્વ દરમિયાન પાલન કરવું પડશે.
ઉત્તરાયણ પર્વ પર ધાબા પર માત્ર પરિવારના સભ્યો જ એકઠા થઇ શકશે. અન્ય વ્યક્તિ આવશે તો સોસાયટીના ચેરમેનની જવાબદારી રહેશે. આ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.
રાજ્યમાં ડ્રોન અને સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. આ સાથે 14 અને 15 જાન્યુઆરીએ રાત્રી કર્ફ્યું પણ અમલમાં રહેશે.