અમદાવાદમાં ક્રિકેટરો માટે પોલીસે ઍમ્બ્યુલન્સ રોકી, લોકોના જીવ કરતા ક્રિકેટરો મહત્વના? ક્રિકેટરો 2-3 મિનિટ મોડા જાત તો પોલીસને શું વાંધો હતો?
ટ્રાફિક પોલીસની શરમજનક કામગીરી
ક્રિકેટરો નિકળતા એમ્બ્યુલન્સને રોકી
પાંજરાપોળ ચાર રસ્તા પાસેનો વીડિયો
ક્રિકેટરોને નિકળવા માટે થઇને એમ્બ્યુલન્સને રોકવામાં આવી
ગુજરાતમાં મહામારી સમયમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, રાજ્યમાં દર્દીઓને માંડ માંડ ઍમ્બ્યુલન્સ મળે છે અને જો ઍમ્બ્યુલસન મળી પણ જાય તો બેડના કોઈ ઠેકાણા નથી. મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે એક એક મિનિટ દર્દી માટે મહત્વની હોય છે. આ બધુ જાણતા હોવા છતાં અમદાવાદથી એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદમાં ક્રિકેટરો માટે ઍમ્બ્યુલન્સને રોકી દેવામાં આવી.
અમદાવાદના પાંજરાપોળ વિસ્તારનો વીડિયો વાયરલ થઈ રહ્યો જેમાં જોઈ શકાય છે કે આઈપીએલ રમવા આવેલા ક્રિકેટરો બસમાં બેસીને પસાર થઈ રહ્યા છે અને આ ક્રિકેટરોના પ્રોટોકોલ માટે અમદાવાદ પોલીસે ઍમ્બ્યુલન્સને પણ રોકી દીધી. પોલીસે એમ્બ્યુલન્સને રોકી ક્રિકેટરોના કાફલાને જવા દીધો, આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.
એમ્બ્યુલન્સ રોકનાર પોલીકર્મી સામે કાર્યવાહી થશે?
મહામારી સામે ગુજરાતીઓ લડી રહ્યા છે ત્યારે આ વીડિયો પર સવાલ ઉઠી રહ્યા છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરી શકે છે? અને એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને કઈ થાય તો જવાબદાર કોણ? ક્રિકેટરો 2-3 મિનિટ મોડા જાત તો પોલીસને શું વાંધો હતો? અને શું મહામારીમાં લોકોના જીવ કરતા ક્રિકેટરોના પ્રોટોકોલ મહત્વનો છે?