અમદાવાદ પોલીસ ખાતામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. VTV પાસે પોલીસ ખાતામાં ભ્રષ્ટાચારની સચોટ માહિતીનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો.
પોલીસખાતામાં વહીવટદારનો દબદબો
વહીવટદાર કોઇને ગાંઠતો નથી
ઝોન વાઇઝ વહીવટદારોની નિમણૂંક કરાઇ છે
આ અહેવાલમાં જાણવા મળ્યું હતુ કે, કાયદો-વ્યવસ્થા જાળવનાર પોલીસ જ ખુદ ભ્રષ્ટાચારના ભારમાં લોથપોથ હોવાનું માલૂમ પડ્યુ હતુ. અમદાવાદ પોલીસમાં મોટાપાયે પોલીસ અને ગુનેગારો વચ્ચે સેટિંગ થતા હોવાનું જાણવા મળ્યું હતુ.
કયા કયા પોલીસ સ્ટેશનમાં જવા માટે પડાપડી?
આરોપીઓ સાથે સેટિંગ કરીને તેમની પણ ખાતરદારી માટે કરાય છે. પાસા નહીં કરવા માટે 2-3 લાખ ભાવ બોલાય છે. આરોપીઓ દ્વારા રીતસર સરદારનગર, કૃષ્ણનગર, નરોડા પોલીસ સ્ટેશનમાં જવા પડાપડી થાય છે. આરોપીઓ નારોલ, વટવા પોલીસ સ્ટેશનમાં જવા માટે પણ પડાપડી કરે છે કારણ કે ત્યાં સેટીંગ કરવામાં સરળતા રહે છે.
કોને કેટલો હપતો?
સિનિયર પોલીસ અધિકારીઓનો 2થી 3 કરોડનો માસિક હપ્તો ચૂકવવામાં આવ્યો છે. ક્રીમ પોલીસ સ્ટેશનમાં જવા 15થી 40 લાખનો ભાવ બોલાય છે. દારૂ-જુગાર, જમીનનો કબજો મેળવવામાં વહીવટદારોની મહત્વની ભૂમિકા જોવા મળે છે. પોલીસ સ્ટેશન પ્રમાણે ઉચ્ચ અધિકારીઓ ભાવ નક્કી કરે છે. એટલું જ નહીં દેશી, વિદેશી દારૂના અડ્ડા ચલાવવા મંજૂરી માટે પણ ભાવ નક્કી હોય છે. વહીવટદારો દારૂના અડ્ડા ચલાવવા માટે મંજૂરી અપાવે છે.