જેએનયુ (Jawaharlal Nehru University) નો વિવાદ ગુજરાત સુધી પહોંચી ગયો છે. જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં મંગળવારે અમદાવાદમાં NSUI (National Students Union of India) દ્વારા ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad) ના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર્યકરો વચ્ચેનો હિંસક વિગ્રહ જોત જોતામાં લોહિયાળ બની ગયો હતો. ત્યારે આમ મામલે પોલીસ વિભાગે પત્રકાર પરિષદ યોજી હતી.
અમદાવાદમાં ABVP-NSUI વચ્ચે ઘર્ષણનો મામલો
પોલીસ વિભાગની પત્રકાર પરિષદ
NSUIના કાર્યકર્તાઓ લાકડીઓ સાથે NID સર્કલ ખાતે આવ્યા હતાઃ પોલીસ
અમદાવાદમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણનો મામલે પોલીસે NSUI-ABVPની ફરીયાદ નથી લીધી. ખુદ પોલીસે ફરીયાદી બની બન્ને સામે કેસ દાખલ કર્યો. નામ વગર પોલીસે બન્ને સંગઠનના કાર્યકર સામે ફરીયાદ કરી છે. પોલીસે બન્ને સંગઠન સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ABVPની ઓફિસમાં NSUI ઘેરાવાના ઇનપુટ મળ્યા હતા. પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખ્યું હતું. NSUIના કાર્યકર્તાઓ લાકડીઓ સાથે NID સર્કલ ખાતે આવ્યા હતા. પોલીસે ઘર્ષણમાંથી કાર્યકર્તાઓને દૂર કર્યા. પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે ACP તપાસ કરશે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, NSUIના કાર્યકર્તાઓ લાકડીઓ લઇને આગળ વધ્યા હતા. ABVPના હુમલાને લઇને પોલીસની કોઇ સ્પષ્ટતા નહીં. આવા બનાવોમાં હંમેશા પોલીસ જ ફરિયાદી બને છે. NSUIના કાર્યકર્તાઓએ મંજૂરી મળી ન હતી. CCTVના આધારે ઓળખ કરી ધરપકડ કરીશું. NSUI-ABVPના કાર્યકર્તાઓએ પોલીસને અપશબ્દો કહ્યાંના આક્ષેપ કર્યા છે.
NSUI-ABVPની ફરિયાદ નથી લેવાઇ
બીજી તરફ પોલીસે NSUI-ABVPની ફરિયાદ ન લઇ અને ખુદ ફરિયાદી બનતા પણ સવાલો ઉઠી રહ્યાં છે. NSUIએ ભાજપના મોટા નેતાનું નામ નોંધવાની માગ કરી છે. NSUIએ ઋત્વિજ પટેલ અને પ્રદિપસિંહ વાઘેલાનું નામ નોંધવાની માગ કરી છે. જ્યારે ABVP તરફથી નીખિલ સવાણી સામે ફરીયાદ નોંધવાની માગ કરાઇ છે. જો કે હાલ કોઇની સામે ફરિયાદ નથી નોંધાઇ. હાલ સમગ્ર કેસની તપાસ ACPને સોંપવામાં આવી છે.