રાજસ્થાનના સાંસદ દેવજી પટેલે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને આક્ષેપ કરતો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યુ કે અમદાવાદમાં રાજસ્થાનના વાહનચાલકોને અમદાવાદ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. આથી ખોટી રીતે હેરાન કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે તમણે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખતા ચર્ચા જાગી છે. ડોક્યુમેન્ટના નામે પોલીસ ખોટી રીતે કામગીરીમાં ખલેલ પહોચાડતી હોવાના પણ આરોપ લગાવાયા છે.
પોલીસે ખોટી રીતે વાહનચાલકોને હેરાન કરતી હોવાની રજૂઆત
અમદાવાદ રીંગ રોડ પર રાજસ્થાનના વાહનો પસાર થતા જોઈને અમદાવાદ પોલીસ તેમને રોકે છે. કારમાં કોઈ વૃદ્ધ કે દર્દી હોય તો પણ પુરી મુસાફરોને બહાર બહાર ઉતારવા ફરજ પાડે છે. વધુમાં લાયસન્સની માંગણી કર્યા બાદ ત્યારપછી તેઓ એક યા બીજી રીતે ડ્રાઈવરને આરસી બુક, ઈન્સ્યોરન્સ પેપર, પોલ્યુશન સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ બાબતે માથાકૂટ કરે છે વધુમાં અંતે માસ્ક અને વાહનની ફિલ્મ નંબર પ્લેટ ખરાબ છે. આવા વર્તન કરતાં હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઈને અમુક કિસ્સાઓમાં દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શકતા ન હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યુ હતું.
પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માગ
અમદાવાદ રીંગરોડ પરથી પસાર થતાં રાજસ્થાન અને અન્ય રાજ્યોના વાહનચાલકોને બિનજરૂરી રીતે હેરાન કરતા પોલીસ કર્મચારીઓ સામે પગલાની અંતમાં રાજસ્થાનના સાંસદ દેવજી પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યુ હતું.