અમદાવાદમાં ગઈકાલે શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલો CAA ( Citizen amendment Act)નો વિરોધ સાંજ થતા સુધીમાં હિંસક બન્યો હતો જેમાં એકઠા થયેલા લોકોએ પોલીસ અને મીડિયા ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં 32થી વધુ લોકો ઘાયલ થયા હતા. 20થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે 5000 લોકો સામે રાયોટિંગના ગુનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 50 જેટલા લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. જો કે આજે શહેરમાં શાંતિપૂર્ણ માહૌલ જોવા મળ્યો હતો.
CCTVના આધારે શરૂ થઈ તપાસ
50 આરોપીઓની કરાઈ ધરપકડ
32 જણા પથ્થરમારામાં થયા હતા ઘાયલ
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પથ્થરમારાનો લઈને ઇસનપુર પોલીસે 40 લોકોની અટકાયત કરી છે. CCTVના આધારે પોલીસે અટકાયત કરવામા આવી છે. પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો છે. અંદાજે 5 હજાર લોકો સામે ફરીયાદ દાખલ કરી છે. જો કે આજે માહૌલ શાંતિપૂર્ણ છે.
PI જે.એમ.સોલંકી ફરિયાદી બન્યા
અમદાવાદમાં પ્રદર્શનકારીઓના પોલીસ સાથે ઘર્ષણ મામલે ઇસનપુર પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી છે. પાંચ હજારના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ઇસનપુર PI જે.એમ.સોલંકી ફરિયાદી બન્યા છે. ઘાયલ પોલીસકર્મીઓને તુંરત સારવાર આપવામાં આવી હતી.
ગઈકાલે પોલીસ ઉપર થયો હતો પથ્થરમારો
આ પથ્થરમારાની ઘટનામાં 32 લોકો ઘાયલ થયા હતા જેમાંથી 20થી વધુ તો પોલીસકર્મી હતા. અત્યાર સુધીમાં 49 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. કોંગ્રેસ કોર્પોરેટર શહેજાદખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની વીડિયો ફૂટેજના આધારે તપાસ કરાશે. શાહઆલમ વિસ્તારમાં પથ્થરમારા મામલે ઇસનપુર પોલીસે 40 લોકોની અટકાયત કરી છે. CCTV ફૂટેજને આધારે અટકાયત કરવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં આજે શાંતિપૂર્ણ માહૌલ
શાહઆલમ, દાણીલીમડા, શાહપુરમાં શાતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. લાલદરવાજા, મિર્ઝાપુર, રિલીફરોડ વિસ્તારમા પણ શાંતિ છે. લોકો પૂર્વવત પોતાના ધંધા વ્યવસાયે વળગી ગયા છે.
શાહઆલમ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
ગઈકાલે પ્રદર્શનકારીઓનુ પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ. પ્રદર્શકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જે મામલે પોલીસે 15થી વધુ ટીયર ગેસ સેલ છોડી સ્થિતિ કાબુમાં લીધી હતી. આજે ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિત પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. પોલીસ પથ્થરમારો કરતા લોકોની શોધખોળ હાથ ધરી છે.