વિરોધ / CAA: અમદાવાદમાં પથ્થરમારો કરનારા 5000થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો, આજે માહૌલ શાંતિપૂર્ણ 

Ahmedabad police file rioting crime against 5000 people

અમદાવાદમાં ગઈકાલે શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલો CAA ( Citizen amendment Act)નો વિરોધ સાંજ થતા સુધીમાં હિંસક બન્યો હતો જેમાં એકઠા થયેલા લોકોએ પોલીસ અને મીડિયા ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં 32થી વધુ લોકો ઘાયલ થયા હતા. 20થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે 5000 લોકો સામે રાયોટિંગના ગુનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 50 જેટલા લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. જો કે આજે શહેરમાં શાંતિપૂર્ણ માહૌલ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ