Ahmedabad Police Commissioner Sanjay Srivastava statement on Night curfew
નિર્ણય /
અમદાવાદમાં હાલ રાત્રિ કર્ફ્યુની જરૂર, સરકાર કહેશે ત્યાં સુધી યથાવત્ રહેશેઃ પોલીસ કમિશનર
Team VTV07:49 PM, 19 Dec 20
| Updated: 08:00 PM, 19 Dec 20
દિવાળી બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા 4 મહાનગરોમાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. ત્યારે આજરોજ અમદાવાદના કર્ફ્યુને લઇને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, અમદાવાદમાં હાલ રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે.
કર્ફ્યુને લઇ અમદાવાદ પોલીસ કમિશનરનું મોટું નિવેદન
આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર કહેશે ત્યા સુધી રાત્રી કરફ્યુ રહેશેઃ કમિશનર
હાલ રાત્રિ કર્ફ્યુની જરૂર છેઃ કમિશનર
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કર્ફ્યુ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હાલ રાત્રિ કર્ફ્યુની જરૂર છે, અમદાવાદમાં હાલ પુરતુ રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર કહેશે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. આ સરકારે લીધેલો નિર્ણય છે. તો તહેવારોને લઇને પોલીસ કમિશનરે કહ્યું કે, તહેવારોને લઇ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય લેવાશે.