અમદાવાદ પોલીસ કમિશનરએ મહત્વનો નિર્ણય લીધો છે જેમાં વ્યાજખોરીના દુષણને ડામવા તા. 5 થી 31 જાન્યુઆરી સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યાજખોરોના આતંકને ડામવા અમદાવાદ CPનો મહત્વનો નિર્ણય
આજથી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે ચાલશે સ્પેશિયલ ડ્રાઇવ
તમામ ઝોનના DCPને નોડલ ઓફિસર તરીકે કરાયા નિમણૂક
અમદાવાદ સહિત રાજ્યભરમાં વ્યાજખોરીનું દુષણ વકરી રહ્યું છે. વ્યંકજવાદીઓ સામાન્ય માણસોને રૂપિયા આપી આડેધડ વ્યાજ વસૂલતા હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે વ્યાજખોરોના આતંકને ડામવા અમદાવાદ CPએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આજથી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફસાયેલા નાગરિકો જરૂરી દસ્તાવેજો સાથે મળી શકશે DCPને
જેને પગલે તમામ ઝોનના DCPને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેને લઈને લોકો હવે સીધા નોડલ ઓફિસરને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફસાયેલા નાગરિકો જરૂરી દસ્તાવેજો સાથે DCPને મળી સીધા જ ફરિયાદ કરી શકશે. આવતીકાલે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો વિરૂદ્ધ સ્પેશિયલ દ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સામન્ય પબ્લિક હવે સીધા આ નોડલ ઓફિસરને મળી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.
હર્ષ સંઘવીએ કહ્યું હતું આવું....
મહત્વનું છે કે રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો હોવાથી ગત ડીસેમ્બર માસમાં રાજકોટ આવેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વ્યાજખોરી મામલે નિવેદન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારના કૃત્ય ચલાવી નહિ લેવાઈ અને વ્યાજખોરોના ત્રાસ મામલે જે અરજીઓ મળે છે તેના પર ગુજરાત પોલીસ કડક હાથે કામ કરી રહી છે. જેના ભાગરૂપે શહેર પોલીસ કમિશનરે પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. જેને લોકો પણ આવકારી રહ્યા છે.