અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંહ NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) ના DG બન્યા છે. જેની કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શુક્રવારે નિમણૂંક કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર 2020 સુધી NSGના DG પદ પર તેઓ રહેશે. મહત્વનું છે કે, એ.કે.સિંહ 1985ની બેંચના IPS અધિકારી છે. હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સેવા બજાવી રહ્યાં છે.
30 સપ્ટેમ્બર 2020 સુધી NSGના DG પદ પર તેઓ રહેશે
એ.કે.સિંહ 1985ની બેંચના IPS અધિકારી છે
અમદાવાદ પોલીસ કમિશનરના પદ પર અજય કુમાર તોમરની થઇ શકે છે નિમણૂંક
ગુજરાત કેડરના વધુ એક સીનિયર અધિકારીની દિલ્હીમાં નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંહ દિલ્હી પ્રતિનિયુક્તી પર જાય છે તેવી ચર્ચા ચાલતી હતી. જે ચર્ચાનો આજે અંત આવી ગયો છે.
અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંહને NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) માં ડીજી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નિમણૂંક કરાઇ છે. તેમની CRPF અથવા NSGના DG બનાવવા માટેની ચર્ચા વિચારણા ચાલી રહી હતી પરંતુ આખરે તેમની NSGના ડીજી તરીકે નિમણૂંક કરાઇ છે.
એ.કે.સિંહ 1985ની બેંચના સીનિયર IPS આગામી વર્ષના સપ્ટેમ્બરમાં વય મર્યાદાને લઇ નિવૃત થવાના હતા. હાલના ગુજરાતના DGP શિવાનંદ ઝા પછી સૌથી સીનિયર મોસ્ટ IPS તરીકે એ.કે. સિંહ હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર તેમને DG બનવા માટે એક મહિનો ઓછો પડતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને દિલ્હી ખાતે પ્રતિનિયુક્તીનો હુકમ કર્યો છે.
મહત્વનું છે કે અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંહની 30 સપ્ટેમ્બર 2020 સુધી NSGના DG પદ પર નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે તેમની જગ્યા પર અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય કુમાર તોમરની અમદાવાદ પોલીસ કમિશનરના પદ પર નિમણૂંક કરાઇ તેવી શક્યતાઓ છે.