કિશનની હત્યાનું કનેક્શન રાજકોટ તરફ નીકળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટના થોરાડાના અજીમ સમાએ હથિયાર આપ્યાની શંકા થોરાળાનાં અજીમ સમાએ હથિયાર આપ્યાની આશંકા
કિશન ભરવાડ હત્યા કેસ અપડેટ
અમદાવાદ પોલીસના રાજકોટમાં ધામા
દિલ્હીના એક મૌલવીનું પણ નામ ખૂલ્યું
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની મુલાકાત પહેલા જ ધંધુકામાં કિશન ભરવાડ મુદ્દે માત્ર પોલીસ વિભાગ જ નહિ પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું. હવે જ્યારે આ કેસમાં તાપોઆસનો ધમધમાટ ચાલે છે ત્યારે કિશનની હત્યાનું કનેક્શન રાજકોટ તરફ નીકળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટના થોરાડાના અજીમ સમાએ હથિયાર આપ્યાની શંકા થોરાળાનાં અજીમ સમાએ હથિયાર આપ્યાની આશંકા સેવાઈ રહી છે. હત્યા કેસનું પગેરું રાજકોટ નીકળતા તપાસ ટીમ રાજકોટ આવી છે. બીજી તરફ અજિમ સમા ગઇકાલ રાતથી ફરાર થયો હોવાની વિગત સામે આવી રહી છે. અજીમ અને તેના બન્ને ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ વચ્ચે વસીમ સમા અને જુબેર સમાની પૂછપરછ રાજકોટ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે.
બીજી તરફ, આ જ કેસમાં પોલીસ ધંધુકામાં પણ વધુ તપાસ કરી રહી છે. મૌલવીનું નામ ખુલતા જ તપાસનો ધમધમાટ એ તમામ સદીગ્ધ જગ્યાએ શરુ થયો છે જ્યાં ફાયરિંગ કરનારા શખ્સોની અવર-જવર રહી હતી.
કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીના મૌલવી કમલ ઘની ઉસ્માનીનું નામ સામે આવતા ATSની એક ટીમ દિલ્લી તપાસ માટે રવાના થઇ છે. દિલ્હીના મૌલવીએ શબીર ચોપડાની મુલાકાત અમદાવાદના મૌલવી સાથે કરાવી હોવાનું કહેવાય છે. શબ્બીર, કમલ ઘની ઉસ્માની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો