બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદી ફિલ્મ મેકરનું રહસ્ય ઘેરાયું, ફ્લાઈટની મિનિટ પહેલાં ફોન બંધ, સાવ નજીકથી ગાયબ, પહેલી વાર એ રસ્તે

પ્લેન ક્રેશ રહસ્ય / અમદાવાદી ફિલ્મ મેકરનું રહસ્ય ઘેરાયું, ફ્લાઈટની મિનિટ પહેલાં ફોન બંધ, સાવ નજીકથી ગાયબ, પહેલી વાર એ રસ્તે

Last Updated: 12:07 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશમાં નરોડાના ફિલ્મ મેકરનું ગાયબ થવાનું રહસ્ય ઘેરાયું છે. પ્લેન ક્રેશના ચાર દિવસ બાદ પણ કોઈની પાસે તેનો જવાબ નથી.

અમદાવાદ પ્લેન ક્રેશમાં વધુ એક મોટું રહસ્ય સામે આવ્યું છે. હકીકતમાં નરોડાના ફિલ્મી મેકર મહેશ કલાવાડિયા પ્લેન ક્રેશ સાઈટેથી ફક્ત 700 મીટર દૂરથી અચાનક ગાયબ થઈ ગયો છે. અત્યાર સુધીના તમામ પાસાઓ વધારે રહસ્ય વધારી રહ્યાં છે જેનો જવાબ કોઈની પાસે નથી. હકીકતમાં 12 જુન 2025ના દિવસે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યાંથી ખાલી 700 મીટર દૂર નરોડામાં રહીશ અને ફિલ્મો બનાવનાર મહેશ કલાવાડિયા નામનો શખ્સ ગાયબ થઈ ગયો હતો જે પ્લેન ક્રેશના 5 દિવસ બાદ પણ મળ્યો નથી. તે ઉપરાંત સરદાર પટેલ એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉપડી કે તેની 1 મિનિટ પહેલાં તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો. મોબાઈલ અને સ્કૂટર પણ ગાયબ થયું હતું.

દુર્ઘટના સમયે ક્યાં ગયો હતો મહેશ કલાવાડિયા

જે સમયે પ્લેન ક્રેશ થયું તે સમયે મહેશ લો ગાર્ડનમાં રહેતાં તેના કોઈ સંબંધીને મળવા ગયો હતો અને રિટર્નમા આવતાં ક્રેશ સાઈટેથી ફક્ત 700 મીટરના અંતરે તે ગાયબ થયો હતો. હવે ખરો સવાલ એ છે કે તેની પત્ની હેતલના કહેવા પ્રમાણે, મહેશ આ રુટ પર કદી જતો નથી. એટલે તે પહેલી વાર અને તે પણ વિમાન ક્રેશના સમયે આ માર્ગ પહેલી વાર આવ્યો તે પણ એક મોટું રહસ્ય છે.

શું બોલી પત્ની

મહેશની પત્ની હેતલે કહ્યું, 'મારા પતિએ મને બપોરે 1:14 વાગ્યે ફોન કર્યો અને કહ્યું કે તેનું કામ પુરુ થઈ ગયું છે અને તે ઘેર પાછો આવી રહ્યો છે પરંતુ મોડે સુધી ન આવતાં ફોન જોડ્યો તો તે બંધ બોલતો હતો. આ પછી પોલીસમાં જાણ કરવામાં આવી, તપાસમાં જણાયું કે મહેશનો છેલ્લો ફોન ક્રેશ સ્થળથી માત્ર 700 મીટર દૂર હતો. અર્થાત તે 700 મીટરથી ગાયબ થયો હતો. લગભગ બપોરે 1:40 વાગ્યે (જ્યારે વિમાન ઉડાન ભરી ત્યારે) તેનો ફોન બંધ થઈ ગયો, તેનું સ્કૂટર અને મોબાઇલ ફોન બંને ગુમ છે.

વધુ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશમાં હેરાનીભર્યો પૂર્વાભાસ, 'એવો વિચાર આવ્યો' કે ફ્લાઈટમાં ન બેઠાં, બચી ગયા બે જણ

અમદાવાદ પ્લેન ક્રેશમાં 275થી વધુના મોત

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશમાં 275થી વધુના મોત થયાં છે જેમાં બેઠેલા પ્રવાસીઓ અને નીચેના માણસો સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

air india crash Mahesh Kalawadia disappearance Ahmedabad plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ