અમદાવાદના નરોડામાં પીક-અપ વાન ચાલક દ્વારા થયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે 7થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે થયા મોત
ઘટનામાં અન્ય 7 લોકોને થઈ ઈજા, બે લોકોની હાલત ગંભીર
વાનચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા
નશામાં ધૂત વાહન ચાલકે અકસ્માત દ્વારા નરસંહાર સર્જી નાંખ્યો છે. અમદાવાદના નરોડામાં પીકઅપ વાન ચાલકે અકસ્માત કર્યો છે. પૂરઝડપે ગાડી લઈને આવેલો ચાલક AMTSના બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો. વાનચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
3ના મોત 7 ઘાયલ
અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે જ્યારે 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ઈજાગસ્તને સારવારમાટે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાથમિક તપાસમાં પીકઅપવાન ડ્રાઈવર નશામાં ધૂત હોવાનું જણાયુ
પોલીસે આ અંગે કાનુની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, નશાની હાલતમાં હતો ડ્રાઈવર?નશો કરીને કેમ ચલાવે છે ગાડી?