ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને લઇને દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉન બાદ લોકોના રોજગાર અને ધંધા પર મોટી અસર જોવા મળી. લોકડાઉનના પગલે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે આજરોજ અમદાવાદ ખાતે શાહીબાગ ટોરેન્ટ પાસે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદમાં શાહીબાગ ટોરેન્ટ ઓફિસ પાસે લોકોનો વિરોધ
વીજ બિલ માફ કરવાને લઈ લોકો એકઠા થયા
લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
અમદાવાદના શાહીબાગ ટોરેન્ટ પાસે આજરોજ સવારે લોકો એકઠા થયા હતા. ટોરેન્ટ પાસે એકઠા થયેલા લોકોએ વીજ બીલ માફ કરવાને લઇને વિરોધ નોંધાવ્યો હતો. એકઠા થયેલા લોકોએ રાજ્ય સરકાર અને ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા.
વીજ બીલ માફ કરવાને લઇને એકઠા થયેલા લોકોમાં રાજ્ય સરકાર અને ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ CM રૂપાણી અને ભાજપ વિરોધના નારા પણ લગાવ્યા હત.
એક તરફ લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે બીજી તરફ વીજ બિલથી પડતા મારને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જ્યારે તંત્ર દ્વારા બિલ પણ યુનિટને જોયા વિના જ આપ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.