રાજ્યમાં કોરોના કાળ વચ્ચે પણ વિકાસની ઝાકમઝોળ ચારી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરતમાં 201 કરોડના કાર્યોનું ઇ-લોકાર્પણ કર્યું તો આ પ્રસંગે એમપણ કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતમાં 12 હજાર કરોડના કામો થયાં છે. ત્યારે હવે અમદાવાદીઓ માટે વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં સી-પ્લેન બાદ હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ અમદાવાદમાં બની શકે છે.
અમદાવાદીઓને મળી શકે છે વધુ એક ભેટ,
સી-પ્લેન બાદ હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ રિવરફ્રન્ટમાં શરૂ થયા તેવી શકયતા
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમદાવાદને રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભેટ મળી શકે છે. સી-પ્લેન બાદ હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ગિફ્ટ મળી શકે છે. આ પ્રોજેક્ટ રિવરફ્રન્ટમાં ફરી શરૂ થયા તેવી શકયતાઓ સેવાઇ રહી છે.
ફ્લોટિંગ રેસ્ટોરન્ટને મળી શકે મંજૂરી
નોંધનીય છે કે, બે-ત્રણ વર્ષ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો રૂટ નક્કી કરવા માટે મેથેમેટિક સરવેનું કામ મંજૂર કરી દેવાયું હતું. પરંતુ પાણીના સ્તરના કરાણે આ પ્રોજેક્ટ છેલ્લા 10 વર્ષથી અટવાયો હતો હતો. પરંતુ સી-પ્લેનને કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર જાળવવાનું રહેવાનું હોવાથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની તકમાં પણ વધારો થયો છે. જેને લઇને આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ પર કામકાજ શરૂ કરવામાં આવી શકે છે.
શું છે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ પાછળ આશરે 5 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ રેસ્ટોરન્ટમાં 300 લોકો બેસી શકે એટલી સ્પેસ હોય છે, સાથે જ આ બોટને એક દિવસમાં ત્રણ ટ્રિપ અને શનિ-રવિની રજાઓમાં 5 ટ્રિપ કરાવી શકાય છે