બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Ahmedabad or Khadaved? The corporation has Fail here...

બેદરકારી / અમદાવાદ કે ખાડાવાદ ? અહીં કોર્પોરેશન ખાડે ગયું છે...

Last Updated: 06:35 PM, 6 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદને કારણે અમદાવાદનાં તમામ રસ્તાઓ ધોવાઇ જતાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઇ છે. અમદાવાદમાં ખાડાને લીધે 2 લોકોનાં મોત થયાં છે, છતાં તંત્ર ઉંઘતું ઝડપાયું છે. ત્યારે કોર્પોરેશન હજુ પણ શહેરમાં 14,000 ખાડાનું પુરાણ કર્યાની વાતો કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે આ બેદરકારીની જવાબદારી ક્યારે સ્વીકારશે. આ સરકારે જેમ નાગરીકોની ચિંતા વ્યક્ત કરીને ટ્રાફિકનાં દંડમાં વધારો કર્યો છે. તેમ કોર્પોરેશના અધિકારીઓને ક્યારે તેમની બેદરકારી બદલ દંડશે?

  • વિપક્ષે કર્યુ શાસક પક્ષને ખાડા ન દેખાતા હોય તો અમે બતાવીએ
  • અમદાવાદમાં એક પણ રોડ ખાડા વગરનો નથી
  • ખાડાને કારણે અકસ્માતનો ભય

અમદાવાદમાં ખાડા 14 હજાર ખાડા પુર્યાની પોકળ વાતો કરતાં કોર્પોરેશનને એ સમજવાની જરુર છે કે તેમણે જે ખાડા પુર્યા છે એ નહી બરાબરના હતા. શહેરમાં એક પણ રોડ એવો નથી કે જ્યાં ખાડા નથી. જ્યારે દેશનો નાગરીક વાહન ખરીદે છે ત્યારે જ તે રોડ ટેક્સ કોર્પોરેશનને ચુકવી દેતો હોય છે. જેના બદલામાં કોર્પોરેશને તેને રોડની સુવિધા આપવાની હોય છે. ત્યારે કોર્પોરેશન તેમને સુવિધાની જગ્યાએ મોત આપી રહ્યું છે. તેમને સ્વાસ્થ્યની સમસ્યા આપી રહ્યું છે.

કોર્પોરેશન પોતાના સ્વાર્થ માટે લોકોના સ્વાસ્થ્ય સાથે કરે છે ચેડા
કોર્પોરેશનના અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે ખરાબ ક્વોલીટીનાં મટીરીયલથી બનાવાયેલા રસ્તાઓ 'ઝરમર' વરસાદમાં જ ધોવાઇ જાય છે. જેના કારણે વાહનચાલકની, વાહન પર સવાર વડીલો, સગર્ભા સ્ત્રીઓ, બાળકોની  હાલત કફોડી બની રહી છે.  ખાડાનાં કારણે કમરનાં દુખાવાં, મણકાનાં  દુખાવાં અને જોઇન્ટના પણ દુખાવાં થઇ રહ્યાં છે.

કોર્પોરેશની બેદરકારીથી ગયો જીવ

આ ખાડા અને રોડનાં લેવલ પર નહી રહેલાં ગટરનાં ઢાંકણને કારણે પણ વાહન ચાલકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ કોર્પોરેશની બેદરકારીએ એક યુવતીનો જીવ લીધો છે. શુક્રવારે ગરબા પછી જીએમડીસી ઓવરબ્રીજ પાસેથી પસાર થઇ રહેલી યુવતી ખાડામાં પડી હતી. જેમાંથી 1નું મોત નિપજ્યું હતું જ્યાંરે બીજી ઇજાગ્રસ્ત થઇ હતી. જ્યારે એક આધેડનું પણ ખાડાના કારણે મોંત નિપજ્યું છે.

તંત્રને નાગરીકોની સુરક્ષામાં નહી પોતાની કમાણીમાં રસ છે
ખાડાને કારણે ન ફક્ત શહેરીજનોનાં સ્વાસ્થયને અસર થાય છે બલ્કે તેમને આર્થિક રીતે પણ નુંકસાન જાય છે. જેમ કે તેમણે ખરીદેલા વાહનનું આયુષ્ય પણ ખટે છે. વારંવાર બ્રેક લગાવાથી પેટ્રોલ વધારે વપરાય છે. વારંવાર નાના- મોટા ખાડામાં વાહન પછડાતા તેને ઇન્ટર્નલ પાર્ટ્સને પણ નુકસાન થાય છે. વારંવાર વાહનને સર્વિસ કરાવવાને કારણે નાગરીકોને આર્થિક માર પડી રહ્યો છે. બીજી તરફ કોર્પોરેશનને માત્ર ભ્રષ્ટાચારમાં રસ છે. 

વિપક્ષે શાસક પક્ષને કહ્યું અમે ખાડા બતાવીશું
રોડના ખાડાના મુદ્દે વિપક્ષના નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે શાસક પક્ષને ખાડા ન દેખાતા હોય તો હું બતાવીશ. તેમના ખાડા પુરવા કરતા ભ્રષ્ટાચારમાં વધારે રસ છે.

સંકળાયેલા મુદ્દાઓ

AMC Ahmedabd Gujarati News અમદાવાદ ગુજરાતી ન્યૂઝ મ્યુનિસિપલ કોર્પોરેશન Negligence
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ