અમદાવાદઃ ઉનાળાની સિઝનમાં કરવામાં આવતા કેરીનાં વેચાણને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા કેરીની તપાસ કરવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા તમામ ઝોનમાં આવેલા કેરીનાં વેપારીઓને ત્યાં દરોડા કરીને કેરીની તપાસ કરવામાં આવી હતી. કુલ 6 ઝોનની 20 ટીમ દ્વારા કેરીની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગનાં અધિકારી અને હેલ્થ વિભાગનાં અધિકારી દ્વારા કેરીની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં કાલુપુર ફ્રુટ માર્કેટમાંથી આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડીને 500 ગ્રામ કાર્બાઇડ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ 80 કિલો કેરીને પકવવા માટે ઉપયોગ કરેલું 500 ગ્રામ કાર્બાઇડ જપ્ત કરીને વેપારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ઉનાળાની સિઝનનાં અંતર્ગત કરવામાં આવતાં કેરીનાં વેચાણને ધ્યાનમાં રાખીને કેરીની તપાસ કરવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા તમામ ઝોનમાં આવેલા કેરીનાં વેપારીઓને ત્યાં દરોડા દ્વારા કેરીની તપાસ કરવામાં આવી હતી. કુલ ૬ ઝોનની ૨૦ ટીમ દ્વારા કેરીની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગનાં અધિકારી અને હેલ્થ વિભાગનાં અધિકારી દ્વારા કેરીની તપાસ માટે આ દરોડા પાડવામાં આવ્યાં હતાં. કેરીને સમય પહેલાં પકવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કાર્બાઇડથી પકવેલી કેરી ખાવાથી કેન્સર જેવા રોગો થતાં હોય છે. કાર્બાઈડનો નાશ કરવા માટે AMC દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.