અમદાવાદ ખાતે ગઇકાલે NSUI-ABVP વચ્ચે JNU હિંસા મામલે વિવાદ સર્જાયો હતો. જેમાં બંને વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેમાં NSUI-ABVP એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવા જોવા મળી રહ્યાં છે. જ્યારે બીજી તરફ પોલીસે આ મામલે કોઇપક્ષની ફરિયાદ લીધી નથી. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરી ધરણાનો કાર્યક્રમ યોજાયો છે.
અમદાવાદ NSUI-ABVP ઘર્ષણ મામલે અમિત ચાવડાનું નિવેદન
પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છેઃ અમિત ચાવડા
ઋત્વિજ પટેલને બચાવવા માટેના પ્રયાશઃ અમિત ચાવાડા
અમદાવાદમાં NSUI-ABVP ઘર્ષણ મામલે ફરિયાદ ન લેવાતા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે સરકારના દબાણમાં ફરિયાદ નથી લેવામાં આવી રહી છે. પોલીસે સુઓમોટો લઇ NSUI સામે જ ફરિયાદ કરી છે. ત્યારે ફરિયાદ લેવા માટે હવે કોંગ્રેસ કમિશનરને રજૂઆત કરશે અને જરરૂ પડે તો કોર્ટના દ્વાર પણ ખખડાવશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે જે ઘટના છે તે મુજબ સાચી ફરિયાદ નોંધવી જોઇએ. જે પોલીસ અધિકારીની હાજરીમાં હુમલો થયો તેના સામે પણ ફરિયાદ નોંધવામાં આવે. ભાજપના જે નેતા હાજર ન હતા તેમની સામે ફરિયાદ નોંધવી જોઇએ. કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું કે અનેક રજૂઆત છતાં પણ પોલીસે ફરિયાદ નોંધી નથી.
અમદાવાદમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણનો મામલે પોલીસે NSUI-ABVPની ફરીયાદ લીધી નથી. જ્યારે પોલીસ ખુદ ફરીયાદી બની બન્ને સામે કેસ દાખલ કર્યો છે. નામ વગર પોલીસે બન્ને સંગઠનના કાર્યકર સામે ફરીયાદ કરી છે. પોલીસે બન્ને સંગઠન સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
જો કે પોલીસે NSUI-ABVPની ફરિયાદ ન લઇ અને ખુદ ફરિયાદી બનતા પણ સવાલો ઉઠી રહ્યાં છે. NSUIએ ભાજપના મોટા નેતાનું નામ નોંધવાની માગ કરી છે. NSUIએ ઋત્વિજ પટેલ અને પ્રદિપસિંહ વાઘેલાનું નામ નોંધવાની માગ કરી છે.
જ્યારે ABVP તરફથી નીખિલ સવાણી સામે ફરીયાદ નોંધવાની માગ કરાઇ છે. જો કે હાલ કોઇની સામે ફરિયાદ નથી નોંધાઇ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમાધાનની ભૂમિકામાં આવ્યા છે. હાલ સમગ્ર કેસની તપાસ ACPને સોંપવામાં આવી છે.