કોરોનાનો કહેર અમદાવાદમાં ઓછો જ નથી થઈ રહ્યો. તેમાંય મૃત્યુદરની વાત કરીએ તો કોરોનાથી થતા મોતમાં અમદાવાદ અન્ય રાજ્યો કરતા પણ આગળ છે. ગુજરાતમાં હાલ 802ના મોત થયા છે જેમાંથી અમદાવાદ શહેરમાં 612 અને જિલ્લામાં 33 લોકોના કોરનાથી મોત થઈ ચુક્યા છે. શહેરો જોઈએ તો મુંબઈમાં સૌથી વધુ 909 મોત નોંધાયા છે જે અમદાવાદ કરતા વધુ છે પણ દર 100 કોરોના પોઝિટિવ વ્યક્તિએ મૃત્યુદર ચકાસીએ તો અમદાવાદ નંબર વન પર છે.
અમદાવલાદમાં 5147 દર્દીઓ સારવાર હેઠળ
709 સુપર સ્પ્રેડર્સ દર્દી સારવાર હેઠળ
અમદાવાદ શહેરમાં 612ના મોત
અમદાવાદ કોરોનાથી થતા સરેરાશ મૃત્યુમાં મુંબઈ કરતા પણ આગળ
અમદાવાદમાં કોરોનાથી મોતનો આંકડો મહારાષ્ટ્ર અને મુંબઈ બાદ સૌથી હાઈએસ્ટ છે. અન્ય રાજ્યોમાં કરતા પણ વધુ મોત અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. કોરોનાથી મોતને મામલે મુંબઈ બાદ અમદાવાદનો નંબર આવે છે. મુંબઈમાં 909ના મોત થયા છે ત્યાર બાદ અમદાવાદમાં 645 લોકોના મોત થયા છે. મુંબઈમાં 27251 કેસ છે જેમાંથી 6096 સાજા થયા છે અને 909ના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં 9724 કેસમાં જ 645 લોકોના જીવ ગયા છે. અને 3658 લોકો સાજા થયા છે. મુંબઈમાં દર 100 કોરોના પોઝિટિવ વ્યક્તિએ 3ના મોત થાય છે જ્યારે અમદાવાદમાં 7 લોકોના મોત થાય છે.
સારવાર હેઠળ કયા ઝોનના કેટલાં દર્દીઓ
અમદાવાદમાં હાલ 5147 દર્દી સારવાર હેઠળ છે. મધ્યઝોનમાં 1447, ઉત્તર ઝોન 792, દક્ષિણ ઝોન 196, પશ્ચિમ ઝોનમાં 523, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 150, પૂર્ ઝોનમાં 573, દક્ષિણ ઝોનમાં 1057, સુપરસ્પ્રેડર્સ 709, કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. 709 સુપર સ્પ્રેડર્સની સારવાર ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં 612ના મોત
ગઇકાલ સુધીમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં થયેલાં કુલ 612 મૃત્યુમાં સૌથી વધુ સિવિલમાં 370, સોલા સિવિલમાં 32, એસવીપી હોસ્પિટલમાં 124 અને અન્ય હોસ્પિટલો તેમજ કોવિડ કેર સેન્ટરોમાં થયેલાં મૃત્યુનો આંકડો 86નો છે
શું છે અમદાવાદમાં સ્થિતિ
અમદાવાદમાં 9724 કોરોના પોઝિટવ કેસ નોંધાયા છે જેમાંથી 645 લોકોના મોત થઈ ચુક્યા છે. 3658 પેશન્ટ સાજા થઈ ગયા છે. ગુજરાતમાં 13268 કેસ છે જેમાંથી 802ના મોત થઈ ચુક્યા છે જ્યારે 5880 લોકો સાજા થઈ ચુક્યા છે.