ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરને લઇને રાતના 10 વાગ્યા બાદ કોઇ દુકાનો ખુલ્હી રાખી શકાશે નહીં. માત્ર દવાની દુકાનો જ ખુલી રહેશે. મહત્વનું છે કે, શહેરમાં કોરોનાને લઇને લોકોમાં બેદરકારી સામે આવી હતી. ઠેકઠેકાણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ અને માસ્ક વગર લોકો ફરી રહ્યા છે. જેને લઇને AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં 27 વિસ્તારોમાં AMCનો આદેશ
રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે
માત્ર દવાની દુકાનો જ ખુલી રહેશે
કોરોનાનો કહેર વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી કડક બન્યું છે. અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા બાદ બધુ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ 27 વિસ્તારોમાં રાત્રે દુકાનો ખુલ્લી નહીં રહે. જોકે દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે.
આ અંગે અમદાવાદના OSD રાજીવ ગુપ્તાએ નિર્ણય લીધો છે. જે વિસ્તારમાં રાત્રી કર્ફ્યું છે ત્યાં માત્ર દવાની દુકાનો ખુલ્લી રહેશે. આ અંગે પ્રાપ્ત મળતી જાણકારી મુજબ રાત્રીના સમયે નવા અમદાવાદમાં ઉત્પાત મચાવતા નબીરાઓને કારણે રાત્રિ કર્ફ્યું જાહેર કરાયો છે.
આ વિસ્તારોમાં રાત્રી કર્ફ્યું
SG હાઇવે
સિંધુભવન રોડ
પ્રહલાદનગર રોડ
YMCAથી કાકે દા ઢાબા
પ્રહલાદનગરથી પેલેડિયમ સર્કલ
બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
ઈસ્કોન ચારરસ્તાથી શપથ-4.5 સર્વિસ રોડ
બોપલ આંબલી રોડ
ઈસ્કોન આંબલી રોડથી હેબતપુર વચ્ચેનો વિસ્તાર
સાયન્સ સીટી રોડ
શીલજ સર્કલથી સાયન્સસીટી સર્કલ સુધી 200 ફુટનો રીંગ રોડ
આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફુટનો રીંગરોડ