એવા લોકોને મળવું પણ પ્રેરણાદાયી થઈ પડે છે જે લોકોએ તનતોડ મહેનત કરીને સફળતાની ઊંચાઈ પ્રાપ્ત કરી હોય છે કારણ કે કેટલાક લોકો અનોખી માટીના બનેલા હોય છે.
સખત મહેતનનો કોઈ વિકલ્પ નથી
પણ મહેતન જ્યારે રંગ લાવે છે...
એક મહેનતકશ યુવાની સાફલ્યગાથા
પોતાના પિતાની ફરાળી ભેળની લારી પર કામ કરી રહેલા આ યુવકનું નામ છે પ્યારે લાલ...સામાન્ય લાગતા આ વિદ્યાર્થીએ એક એવું અસામન્ય સફળતા મેળવી છે જેની નોંધ દરેકે લેવી પડે તેમ છે...વાત એમ છે પ્યારેલાલ નામના આ વિદ્યાર્થીએ તેમના પિતાની ફરાળી ભેળની લારી પર પિતાને મદદ કરવા સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરીને હવે CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી લીધી છે અને પોતાના પરિવારમાં એક આશા જગાવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે, (ICAI) દ્વારા ગત જૂન મહિનામાં અમદાવાદમાં પરીક્ષા લેવાયેલી હતી... અમદાવાદ ચેપ્ટરના 2360 વિદ્યાર્થીએ આ પરીક્ષા આપી હતી, જેમાં અમદાવાદમાંથી 7 વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ થયા હતા. એમાંથી એક પ્યારેલાલ પણ છે. પ્યારેલાલે તેમના પિતાને મદદ કરવાની સાથે કેવી રીતે રોજ 10થી 12 કલાક મહેનત કરી પરીક્ષા પાસ કરી છે.
સફળ થવું હોય તો પ્યારે લાલને મળો
આપને જણાવી દઈએ કે, પ્યારેલાલ પરિવાર સાથે વર્ષોથી ગુજરાતમાં રહે છે...તેના પિતા પ્રહલાદભાઈ પ્રજાપતિ મૂળ રાજસ્થાનના છે. તેઓ છેલ્લાં 20 વર્ષથી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે અને ત્યાં ચાર રસ્તા પર તેમની સાંવરિયા ફરાળી ભેળની લારી ચલાવે છે. તેમનો દીકરો પણ તેમને આ ફરાળી ભેળની લારીએ મદદ કરે છે અને સાથે સ્ટડી પણ કરે છે.... જો કે, શિવરાત્રી જેવા તહેવારો પર દીકરો લારી પર આવી મદદ કરતો હતો બાકીના દિવસોમાં પુત્રનો અભ્યાસ ડિસ્ટર્બ ન થાય તેનો પૂરો ખ્યાલ પિતા પ્રહલાદ ભાઈ રાખતા હતા....આમ જ્યારે, લારીએ કામ કરતાં કરતાં CA ફાઉન્ડેશનું જ્યારે રિઝલ્ટ આવ્યુ અને દીકરો ઝળક્યો, તો આ મહેનતકશ પરિવારની ખુશીનો પાર ન રહ્યો...પોતાની રેકડી પર જ પિતા-પુત્ર અન ભાઈ-બહેને એક- મેકના મોં મીઠા કરાવીને ખુશી મનાવી...તેમની ખુશીના આ અવસરમાં રેકડી પર આવતા ગ્રાહકો પણ જોડાયા... પોતાના પુત્રી રોજની 10-12 કલાકની મહેનત રંગ લાવી તો પ્રહલાદભાઈના હરખનો પાર ન રહ્યો...તેમણે પોતાની વીટીવીના કેમેરા સામે કંઈક આ રીતે અભિવ્યક્ત કરી
રેકડી ઘારકનો પુત્ર CA ફાઉન્ડેશનમાં પાસ
જે CA બનવાનું સપનું જોઇ રહ્યાં છે તે લોકોએ પરિસ્થિતીથી નિરાશ થવાની અને હિંમત અને હાર્ડવર્ક કરી પૂર્ણ નિષ્ઠા સાથે મહેનત કરવાની પ્યારેલાલ સલાહ આપી રહ્યા છે...સાથે સાથે પ્યારેલાલે પોતાની સફળતાનો શ્રેય પરિવાર, શિક્ષકો, પોતાની મહેનત અને નસીબને શ્રેય આપી રહ્યાં છે.હાલમાં જ CA ફાઉન્ડેશનનું જૂન-2022ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. અમદાવાદ ચેપ્ટરનું 29.83 ટકા પરિણામ જાહેર થયુ છે જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનું 25.18 ટકા જેટલુ પરિણામ આવ્યુ છે. હાલનું પરિણામ જુલાઇ 2021ની સરખામણીએ અમદાવાદ ચેપ્ટરના પરિણામમાં 6 ટકાથી વધુનો વધારો થયો છે. અમદાવાદમાં પરીક્ષા આપનાર 2360માંથી 700 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે.CA ઈન્સ્ટિટ્યૂટ અમદાવાદ ચેપ્ટરમાં કોચિંગ મેળવનાર 8 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાંથી એક વિદ્યાર્થી છે પ્યારેલાલ પ્રજાપતિ. પ્યારેલાલ પ્રજાપતિની સંઘર્ષની ગાથા અન્ય વિદ્યાર્થીઓથી અલગ તરી આવે છે.
વિષમ સ્થિત વચ્ચે એ લક્ષ્ય સુધી પહોંચ્યો
વિસમ પરીસ્થિતીઓમાં આત્મબળ જ તમારી શક્તિ બનતુ હોય છે એવામાં પણ મુશ્કેલીઓ વચ્ચે ખીલેલુ ફૂલ જ વધુ સૂવાસ ફેલાવે છે ત્યારે વર્ષ 2001માં રાજસ્થાનથી ગુજરાતના અમદાવાદમાં પરિવાર સાથે રહેતા પ્રહલાદભાઇ પ્રજાપતિ દિકરાની સફળતા પર ખુશ થતા જણાવ્યુ હતુ કે રાજસ્થાનથી અહીં અમદાવાદ આવી સાબુદાણાની ખીચડી અને ફરાળી વાનગીઓની લારી ખોલી હતી ત્યારે દિકરા પ્યારેલાલે CA ફાઉન્ડેશનની પરીક્ષામાં 216 માર્ક્સ મેળવતા પરિવારની ખુશીનો પાર નથી. પિતા પ્રહલાદ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, શિવરાત્રી જેવા તહેવારો પર દિકરો લારી પર આવી મદદ કરતો હતો બાકીના દિવસોમાં પરિવાર પુત્રનો અભ્યાસ ડિસ્ટર્બ ન થાય તેનો પુરો ખ્યાલ રાખતો હતો
પ્યારેલાલે યુવકોને શું સૂચન કર્યું
વિદ્યાર્થી પ્યારેલાલ પ્રજાપતિ પોતાની સફળતા વર્ણવતા જણાવે છે કે જીવનમાં અનેક ઉતાર ચડાવ આવતા હોય છે પરંતુ માણસે સેલ્ફ મોટિવેટેડ બનવુ જોઇએ. વ્યક્તિએ હંમેશા સમયને માન આપીને સમયબદ્ધ રીતે કામો કરવા જોઇએ. પ્યારેલાલે જણાવ્યુ હતું કે શિવરાત્રી અને શ્રાવણમાસ જેવા સમયમાં તે પિતાની લારી પર આવી કામમાં મદદ કરતો હતો પરંતુ અન્ય સમયમાં શરૂઆતમાં 12 કલાક જેટલી મહેનત કરતો હતો જે અંતમાં 14 કલાક સુધી પહોંચાડી હતી. પ્યારેલાલે જણાવ્યુ હતુ કે અન્ય લોકો કે જે CA બનવાનું સપનું જોઇ રહ્યાં છે તે લોકોએ પરિસ્થિતીથી નિરાશ થવાને બદલે હિંમત અને હાર્ડવર્ક કરી પૂર્ણ નિષ્ઠા સાથે મહેનત કરવી જોઇએ. વિદ્યાર્થી પ્યારેલાલે પોતાની સફળતાનો શ્રેય પરિવાર, શિક્ષકો, પોતાની મહેનત અને નસીબને શ્રેય આપી રહ્યાં છે.
પ્યારેલાલ રૂપી અર્જૂન અમને મળ્યો: શિક્ષક
ICAIના વિદ્યાર્થી પ્યારેલાલ પ્રજાપતિની સફળતા પાછળ સંસ્થાનો પણ મહત્વનો ફાળો રહ્યો છે ત્યારે પ્યારેલાલની સંઘર્ષથી સફળતાની વાત કરતા શિક્ષકે જણાવ્યુ હતુ કે માણસ ગમે તે વર્ગમાંથી આવતો હોય છતા પણ સફળતા વિદ્યાર્થીના હાથમાં હોય છે.CAની ડિગ્રી તમામ વ્યક્તિઓને સમાન તક આપે છે. દ્વોણાચાર્ય એટલે કે શિક્ષક ખરેખર મહાન ત્યારે થાય છે કે જ્યારે પ્યારેલાલ રૂપી અર્જૂન જેવા વિદ્યાર્થીઓ તેમને મળે છે.