પાર્ટી પીવા રૂપિયા ન હતો તો આધેડને લૂંટી માર માર્યો, મોત થતાં હતા ગાયબ
પોલીસે 3 ઓરોપીની ધરપકડ કરી, 1 ફરાર
અમદાવાદના મેઘાણીનગરમાં સિક્યુરિટી ગાર્ડની લાશ મળવાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે ..મોજસોખ માટે લૂંટ કર્યા બાદ સિક્યુરિટી ગાર્ડની હત્યા થયાનો ચોકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
અમદાવાદમાં ગાર્ડનો મોબાઇલ લૂંટી માર માર્યો
મેઘાણીનગરમાં 4 યુવકોએ મોજશોખ માટે લૂંટ કરી એક આધેડની હત્યા કરી છે. આ ચારેય યુવકોએ લૂંટ કરવાનો પ્લાન ઘડી રાહદારીને રોકીને તેના પાકીટમાંથી પૈસા કાઢી લીધા હતા. જે બાદ મોબાઈલ ફોન લૂંટી ધક્કો મારી ગડદાપાટુંનો માર માર્યો હતો. જેથી આધેડનું મોત થયું હતું. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
પોલીસે કેવી રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ
અજાણી લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી ત્યારે મૃતક રામકુમાર સાથે એક રીક્ષા ચાલક આવી રહ્યો હતો. આ રીક્ષા ચાલકે રામકુમારને 4 યુવકો મારતા જોયા હતા. જેના આધારે પોલીસે 3 આરોપીની ઓળખીને તેમની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરી ત્યારે તેમની પાસેથી લૂંટેલો મોબાઈલ અને 900 રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા. મયુર, જતીન, સુનિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સાહિલ સિંધી નામનો આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલુ છે.
પાનના ગલ્લે લૂંટનો ઘડ્યો હતો પ્લાન
આરોપીઓ એ પાર્ટી કરવી હતી પણ પૈસા નહોતા. કુબેરનગર હરિયાળી પાન પાર્લર પાસે મયુર સિંધી, સુનિલ યાદવ, જતીન જાગલાણી અને સાહિલ સાલવાની બેઠા હતા અને તમામે પાર્ટી કરવાનું વિચાર્યું હતું. પરંતુ પાર્ટી કરવાના પૂરતા પૈસા ના હોવાથી અગાઉથી જ કોઈને મારીને લૂંટ કરી ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું.
3 આરોપી ઝબ્બે 1 ફરાર
જ્યાં મૃતક રામલાલ ને રોકી માર મારી પૈસા પડાવ્યા પરંતુ સંતોષ ન થતા રામલાલના ગળા માં રહેલા સોનાનું પેન્ડલ લૂંટવા ચારેય પાછડ પડ્યા હતા. તેવામાં માર મારતાં તેનું મોત નિપજ્યું. મોજશોખ માટે હત્યા કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે ત્યારે ફરાર સાહિલ સિંધી ને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.