બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવાનો વ્યાપ લંબાવાયો, 7 નવા સ્ટેશનો થયા કાર્યરત
Last Updated: 11:44 AM, 28 April 2025
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓનો વ્યાપ હવે સચિવાલય સુધી લંબાવાઇ ગયો છે.. એટલે કે અમદાવાદ થી હવે સચિવાલય સુધીની મેટ્રો ટ્રેન સેવા શરૂ થઇ ચૂકી છે. આ સાથે ગાંધીનગરમાં રહેતા સરકારી કર્મચારીઓ તથા અન્ય જનતા માટે અમદાવાદની સફર સરળ બની છે.
ADVERTISEMENT
મુસાફરોએ મેટ્રો સેવાઓનો વ્યાપ વધતા સેવાઓને આવકારી છે..સરકારી કર્મચારીઓએ પણ મેટ્રો સેવાઓને આવકારી છે. મુસાફરોએ મેટ્રો સેવાઓમાં ફ્રિક્વન્સી વધારવા પણ માંગ કરી છે..
આ પણ વાંચોઃ
ADVERTISEMENT
મંત્રીમંડળના વિસ્તરણને લઈ હવે અધિકારીઓ પણ કંટાળ્યા, હવે નક્કી કર્યું કે...
અગાઉ ગાંધીનગર સેક્ટર-1 સુધી જ મેટ્રો સેવાઓ ચાલતી હતી, હવે અમદાવાદ એપીએમસીથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ બની છે. અમદાવાદમાં વસ્ત્રાલ તથા થલતેજનો રૂટ પણ જોડાયો છે. સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મહાત્મા મંદીર સુધી મેટ્રો ટ્રેન દોડશે. સચિવાલય સહિત 7 નવા મેટ્રો સ્ટેશન થયા કાર્યરત કરાયા છે.
એપીએમસી વાસણાથી મુસાફરો જ્યારે મેટ્રોમાં મુસાફરી કરશે તો તેઓ 1 કલાકમાં 40 કિમીનું અંતર કાપીને સચિવાલય પહોંચશે. આ સેવાનો સૌથી વધારે લાભ સચિવાલયમાં ફરજ બજાવતા લોકોને થશે. જેમાં કુલ 3 હજાર જેટલા કર્મચારીઓ છે કે જેઓ અમદાવાદથી ગાંધીનગર સચિવાલયમાં નોકરીએ જતા હોય છે. જેથી આ કર્મચારીઓને હવે વાહન લઈને સચિવાલયમાં નહીં આવવું પડે.
આ સાથે અમદાવાદ મેટ્રો સેવા 62 કિલોમીટર સાથે દેશની ચોથા નંબરની સૌથી મોટી મેટ્રો સેવા બની છે.. 350 કિલોમીટરના રૂટ સાથે આ ક્રમમાં દિલ્હી પ્રથમ નંબરે છે. ત્યારબાદ બેંગાલુરુ 74 કિમી અને હૈદારબાદ 69 કિમીનો ક્રમ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.